APM ટર્મિનલ્સ પીપાવાવે સલામતી પર નવી સફળતા હાંસલ કરી…

પીપાવાવ (ગુજરાત): ભારત–એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે સલામતી પર નવી સફળતા હાંસલ કરી છે. 8 મેના રોજ પોર્ટે સંપૂર્ણ સલામતી સાથે 500 દિવસ પૂર્ણ કર્યા હતા, જેમાં ઝીરો મૃત્યુ અને લોસ્ટ ટાઇમ ઇન્સિડેન્ટ (એલટીઆઈ) જોવા મળ્યો હતો. આ મલ્ટિપર્પઝ પોર્ટ માટે બહુ મોટી સફળતા છે, જે વિવિધ પ્રકારનાં કાર્ગોનું સંચાલન કરે છે.

મેનેજમેન્ટર દ્વારા તમામ સ્તરે સતત કાળજી, તાલીમ, નિરીક્ષણ અને સુપરવિઝન રાખવાથી આ સફળતા હાંસલ થઈ છે. આ સફળતા પોતાની રોજિંદી કામગીરીમાં સલામતીને અપનાવતા પ્રતિબદ્ધ કર્મચારીઓને કારણે પણ શક્ય બની છે. લોકડાઉનના ગાળા દરમિયાન સ્ટાફને વ્યવહારિક તાલીમ આપવામાં આવી હતી અને પોર્ટે 24×7 સલામત અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવાનું જાળવી રાખ્યું હતું.

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર જેકોબ ફ્રિસ સોરેન્સે જણાવ્યું હતું કે, “આ એપીએમ ટર્મિનલ્સ માટે ગર્વ કરવા જેવી સફળતા છે. આ સીમાચિહ્નરૂપ સફળતા સલામતીના કલ્ચરનો પુરાવો છે, જે અમે એપીએમ ટર્મિનલ પર સ્થાપિત કર્યું છે. મેનેજમેન્ટ અને કર્મચારીઓ દ્રઢપણે સલામત કામગીરીમાં માને છે.”