ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા

નવી દિલ્હી: 60 દિવસના લાંબા લોકડાઉન બાદ કેન્દ્ર સરકાર બહુ ઝડપથી ડોમેસ્ટીક ફલાઈટ સર્વિસ, ફરીથી શરૂ કરી શકે છે. લોકડાઉનની વચ્ચે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી શકે છે. કેન્દ્ર સરકારે આ માટેની તેમની તૈયારીઓ અંગે એરલાઇન્સ કંપનીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શનિવારે એરલાઈન્સ કંપનીઓએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA અને સિવિલ એવિએશન મંત્રાલયને રિપોર્ટ મોકલ્યો છે.

તેમના કંપનીઓને કહ્યું છે કે, તેઓ ફ્લાઇટ શરૂ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. જો કે આ ફ્લાઇટ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મંત્રાલય અને DGCA દ્વારા એરલાઈન્સ કંપનીઓને એરક્રાફ્ટનુ સ્ટેટસ પણ સોંપવામાં આવ્યું છે. પ્રોટોકોલ અંતર્ગત કંપનીઓ ફ્લાઈટ શરૂ કરતા પહેલા એરક્રાફ્ટ સંબંધિત વિસ્તૃત રિપોર્ટ મંત્રાલય અને DGCAને સુપરત કરવાનો રહેશે.

જ્યારે ફ્લાઈટ શરૂ કરવામાં આવશે ત્યારે પેસેન્જર અને એરસાઈન્સને કેટલીક વિશેષ સાવચેતી રાખવી પડશે. તેના માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઈન્સ અને એરપોર્ટ ઓપરેટરો માટે સ્ટાર્ન્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP). SOPના જણાવ્યા પ્રમાણે, કેન્દ્રએ એરલાઈન્સને કહ્યું કે, ફ્લાઈટ શરૂ થવાના પહેલા તબક્કામાં 80 વર્ષથી ઉપરની વ્યક્તિને મુસાફરીની મંજૂરી ન આપવા જણાવ્યું છે. જો કે એટલું જ નહીં શરૂઆતના તબક્કામાં કેબિનમાં બેગ લઈ જવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો કોઈ પેસેન્જર અથના સ્ટાફમાં સંક્રમણના લક્ષણ દેખાય છે અને આરોગ્ય સેતુ એપ ગ્રીન સિગ્નલ નહીં બતાવે તો આવી વ્યક્તિને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.