પેન્શન વહેંચણી માટે બેન્કો માટે નવા નિયમ જારી કરાયા

નવી દિલ્હીઃ બેન્કો પેન્શન રિલીઝ કરવા અને સમયાંતરે પેન્શનર્સથી સર્ટિફિકેટ માગવા માટે અલગ-અલગ પ્રક્રિયાઓનું પાલન કરી રહી છે. એના માટે શ્રમ મંત્રાલયે પેન્શન વિતરણ કરવા માટે બેન્કોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરો (CMDs)ને દિશા-નિર્દેશો જારી કર્યા છે. એનું લક્ષ્ય સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર (CPPC)/ બેન્કોની શાખાઓને અદ્યતન નિયમો અને દિશા-નિર્દેશો વિશે જાણ કરવાના છે. શ્રમ મંત્રાલયે આ માહિતી આપી હતી. શ્રમ મંત્રાલય હેઠળ કામ કરતા પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગને પ્રાપ્ત ફરિયાદોના વિશ્લેષણને આધારે આ પગલું લેવામાં આવ્યું છે.

વિભાગે એક આદેશમાં કહ્યું છે કે અપડેટેડ અને એકીકૃત દિશા-નિર્દેશોથી પેન્શનર્સની અરજીને બેન્ક અથવા અન્ય દ્વારા પ્રોસેસ કરવાની પ્રક્રિયા સારી હશે.

શ્રમ મંત્રાલયે કહ્યું છે કે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા પેન્શન વિતરણને લઈને સમયાંતરે જારી કરવામાં આવતા જરૂરી દિશા-નિર્દેશોને એકીકૃત કરવામાં આવ્યા છે. એકીકૃત દિશા-નિર્દેશોને જારી કરતાં વિભાગે કહ્યું છે કે પેન્શન જારી કરતી બેન્કો હાલ પેન્શન જારી કરવાના અથવા પેન્શનર અથવા તેમના પરિવારથી સમયાંતરે સર્ટિફિકેટ લેવા માટે અલગ-અલગ પ્રક્રિયાનું પાલન કરી રહી છે.

કેન્દ્ર સરકારના પેન્શનધારકોની સંખ્યા 65.26 લાખ

કેન્દ્ર સરકારના પેન્શનધારકોની સંખ્યા 65.26 લાખ છે. બધી બેન્કોને નવા એકીકૃત દિશા-નિર્દેશોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.  આ સાથએ આ દિશા-નિર્દેશોનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા માટે આને બેન્કોની વેબસાઇટ પર અપલોડ કરવા અને બેન્કોની શાખાઓમાં નોટિસ બોર્ડ પર લગાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

તાજા દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન વિતરણ કરવાવાળી બેન્ક આધાર પર આધારિત ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જીવન પ્રમાણનો સ્વીકાર કરશે. આ નિયમો મુજબ 80 વર્ષ અથવા એનાથી વધુ વયવાળા પેન્શનરે દરેક પેન્શનર અથવા ફેમિલી પેન્શનરને દર વર્ષે નવેમ્બરમાં જીવન પ્રમાણ જમા કરાવી શકે છે. દરેક પેન્શનર અથવા ફેમિલી પેન્શનરે દર વર્ષે નવેમ્બરમાં જીવન પ્રમાણ પર આપવું પડે છે.