DGCAએ ગેરવર્તણૂક કરનારા પેસેન્જરો માટે એડવાઇઝરી જારી કરી

નવી દિલ્હીઃ એવિયેશન નિયામક DGCAએ અસભ્ય પેસેન્જરોને નિયંત્રણમાં લેવા માટે બધી એરલાઇન્સ માટે ફરી એડવાઇઝરી જારી કરી છે. હાલના દિવસોમાં વિમાનમાં પેસેન્જરોના દુર્વ્યવહારોની ઘટનાઓ વધી છે. જ્યારે એર ઇન્ડિયાની દિલ્હી-લંડન ફ્લાઇટમાંથી એક પુરુષ પેસેન્જરને બે કેબિન ક્રૂ સભ્યોને શારીરિક નુકસાન પહોંચાડવા માટે ઉતારવામા આવ્યા હતા. જેથી આ એડવાઇઝરી ફ્લાઇટમાં વધતી પેસેન્જરોની ગેરવર્તણૂકને લીધે આપવામાં આવી છે. આ એડવાઇઝરીમાં DGCAએ કહ્યું હતું કે સિવિલ એવિયેશન રિક્વાયર્મેન્ટ (CAR) હેઠળ ગેરવર્તણૂક કરનાર પેસેન્જરોથી નિપટવા માટે એરલાઇન દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની જોગવાઈ છે. આ સિવાય CARમાં પાઇલટો, કેબિન ક્રૂ સભ્યો અને ઇનફ્લાઇટ સર્વિસના ડિરેક્ટરની જવાબદારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

DGCAએ કહ્યું હતું કે હાલના દિવસોમાં એણે ધૂમ્રપાન, માદક પીણાંના સેવનના પરિણામસ્વરૂપ ગેરવર્તણૂકના વ્યવહારો, પેસેન્જરોની વચ્ચેના વાદવિવાદ અને ક્યારેક-ક્યારેક ફ્લાઇટમાં પેસેન્જરો દ્વારા અયોગ્ય સ્પર્શ અથવા યૌન ઉત્પીડન જેવી ઘટનાઓ પર ધ્યાન આપ્યું છે, જેમાં પોસ્ટ હોલ્ડર્સ, પાઇલટ અથવા કેબિન ક્રૂ સભ્ય યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે.  

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓમાં એરક્રાફ્ટ સંચાલનની સુરક્ષાથી સમજૂતી કરવાની ક્ષમતા હોય છે. એરલાઇન્સે પાઇલટ, ચાલક દળના સભ્યો તથા સંબંધિત પદો પર બેઠેલા લોકોને યોગ્ય પ્રકારે ગેરવર્તણૂક કરનારા પેસેન્જરો સાથે વ્યવહાર કરવા માટે સલાહ આપી છે. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે AI 111 એરપોર્ટ પર ઊતરી અને યાત્રીઓની સુરક્ષાકર્મચારીઓને સોંપાયા હતા તથા પોલીસમાં FIR નોંધાવવામાં આવ્યો હતો.