ભારતમાંથી કોરોના ક્યારે જશે? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યા આંકડા

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીનો કહેર દેશમાં રોજે-રોજ વધતો જઈ રહ્યો છે. આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવનારા કેસોની સંખ્યા તેજીથી વધી રહી છે. કોરોના સામે લડવા માટે કેન્દ્ર સહિત તમામ રાજ્ય સરકારો એકજૂટ બનીને કામ કરી રહી છે. આ દરમ્યાન કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે જો 16 મે સુધી કોરોના વાયરસ લોકડાઉનનું પાલન થાય તો કોવિડ-19 ના કોઈ નવા કેસ નહી આવે. આ સાથે જ એક ગ્રાફ પણ શેર કરવામાં આવ્યો. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસ લોકડાઉન ખૂબ સારું રહ્યું છે. નહીતર કોવિડ-19 થી સંક્રમિતોની સંખ્યા વર્તમાન સમયમાં બે ગણી થઈ ગઈ હોત. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફ્રરન્સ દરમિયાન નીતિ આયોગના સભ્ય અને અધિકાર પ્રાપ્ત ગ્રુપ 1 ના અધ્યક્ષ ડો. વી.કે.પોલે કહ્યું કે, દેશમાં લાગુ લોકડાઉન કોવિડ-19 ને ધીમું કરવા અને જીવ બચાવવામાં પ્રભાવી સાબિત થયા છે. કારણ કે ભારતમાં અત્યારે 23,000 જેટલા કોરોના વાયરસના કેસો છે. જો આવું હોય તો આજે આ કેસ 73,000 સુધી પહોંચી શકતા હતા.

ઉલ્લેખનીય છે કે દેશમાં 723 જેટલા લોકોનું કોરોના વાયરસની ઝપેટમાં આવવાથી મોત થયું છે. સાથે જ કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા 23452 સુધી પહોંચી ગઈ છે. ભારતમાં કોરોના વાયરસના 17,915 જેટલા કેસ છે. જ્યારે 4814 જેટલા લોકો સારવાર બાદ સાજા થયા છે અને હોસ્પિટલથી પોતાના ઘરે ગયા છે.