મોદીની ભાજપના કાર્યકરોને પંચાગ્રહનું પાલન કરવા અપીલ

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટીના 40માં સ્થાપના દિવસે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોંધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સાથીઓ અવિરત સેવા અભિયાન ચાલુ રાખવાનું છે. કોરોના યોદ્ધાઓનો આત્મવિશ્વાસ વધારવાનો છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાજીએ અને અમારી રાષ્ટ્રીય ટીમે એક યોજના ઘડી કાઢી છે. એને હું તમારી સમક્ષ રજૂ કરું છે. તમારે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવાની છે.

PM Cares Fundમાં દાન કરો અને અન્યને પ્રેરિત કરો

PMCares Fundમાં દાન કરો અને બીજાને એમાં દાન આપવા માટે પ્રેરિત કરો. ભૂતકાળમાં યુદ્ધ દરમ્યાન આપણ માતા-બહેનોએ ઘરેણાં પણ આપ્યાં હતા. હાલની સ્થિતિ પણ એવી જ છે. માનવતાને બચાવવા માટે આ એક યુદ્ધ છે. હું પ્રત્યેક ભાજપના કાર્યકર્તાને અપીલ કરું છું કે તેઓ PMCares Fundમાં દાન આપે અને અન્યોને પણ દાન આપવા પ્રોત્સાહિત કરે, એમ વડા પ્રધાને કહ્યું હતું.

તેમણે ભાજપના કાર્યકરોને પંચાગ્રહ કરવા કહ્યું હતું.

  1. ગરીબો માટે જેટલી બને એટલી મદદ કરો.
  2. તમારી સાતે પાંચ અન્ય લોકોના માસ્ક બનાવો અને તેમને આપો
  3. દેશની સેવામાં લાગેલા લોકોનો આભાર માનો. આમાં ડોક્ટર્સ-નર્સ, સફાઈ કર્મચારી, પોલીસવાળા, બેન્ક પોસ્ટ ઓફિસ કર્મચારી અને સરકારી અધિકારીઓ સામેલ છે.
  4. 4 આરોગ્ય સેતુ વધુ ને વધુ લોકોના મોબાઇલમાં ડાઉનલોડ કરાવવાની છે. દરેક કાર્યકર્તાએ કમસે કમ 40 લોકોના ફોનમાં એ ડાઉનલોડ કરાવવા પ્રયાસો કરવા.
  5. યુદ્ધ સમયે જેમ બધા લોકો દેશને મદદ કરવા દાન આપે છે, એમ આ માનવતા વિરુદ્ધ જંગ છે. એટલે સમજીને બને એટલું PMCares Fundમાં દાન આપવા સમજાવો.

 

કોરોના સામેના જંગમાં વિજય નિશ્ચિત છે  PM

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કોરોના સામેના જંગમાં વિજય નિશ્ચિત છ. આ મુશ્કેલ સમયમાં દેશ એકજૂટ છે. આ લાંબી લડાઈ છે પણ આપણને બસ જીત જોઈએ છીએ. દેશવાસીઓએ ઘણો સાથ આપ્યો છે. તેમને કોટિ-કોટિ નમન કરું છું.