કોરોનાના 30,941 નવા કેસ, 350નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 30,941 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 350 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,27,68,880 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,38,560 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,19,59,680 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36,275 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,70,640એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.53 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

દક્ષિણ આફ્રિકા અને અન્ય કેટલાક દેશોમાં કોરોના વાઇરસનું એક નવું સ્વરૂપ મળ્યું છે, જે વધુ સંક્રમક છે અને જે કોરોનાની રસીને પણ માત આપી શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે કોરોના વાઇરસનું નવું સ્વરૂપ સી 1.2 આ વર્ષના મેમાં માલૂમ પડ્યું હતું. જે ચીન, કાંગો, મોરિશિયસ, ઇંગ્લેન્ડ, ન્યુ ઝીલેન્ડ, પોર્ટુગલ અને સ્વિટઝર્લેન્ડમાં મળી ચૂક્યું છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,19,990 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 51.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 64.05 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 64,05,28,644 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 59,62,286 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.