છેલ્લાં પાંચ વર્ષમાં 29,000 લોકોએ આત્મહત્યા કરી

નવી દિલ્હીઃ દેશમાં દેવાં કે આર્થિક તંગીથી પરેશાન થઈને આત્મહત્યાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક પરિવારે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. UPના સહારનપુરના કોમોડિટી બજારના વેપારી સૌરભ બબ્બર અને તેની પત્ની મોનાએ ગંગા નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે સુસાઇડ નોટમાં પણ લખ્યું હતું કે દેવાંમાં ડૂબેલા છીએ અને વ્યાજ ચૂકવીને પરેશાન થઈ ગયા છે.

આવા તો કટલાક કિસ્સા છે, પણ ઇન્ટરનેટ પણ શોધીઓ તો અનેક કેસ મળી શકે છે, જેમાં આર્થિક તંગી અને દેવાંએ પરિવાર ખતમ કરી દીધાં છે. સરકારની એજન્સી નેશનલ ક્રાઇમ બ્યુરો- NCRBએ આત્મહત્યાના 2022 સુધીના આંકડા આપ્યા છે, જેમાં માલૂમ પડે છે કે દેશમાં દરેક ચોથા મોતમાં દેવું કે આર્થિક તંગીનું કારણ હોય છે. વર્ષ 2022માં દેશભરમાં 1.70 લાખથી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી, એમાંથી મોટ ભાગના લોકો દેવાંથી પરેશાન હતા. પ્રતિદિન સરેરાશ 19 લોકો સુસાઇડ કરે છે.  વર્ષ 2018થી 2022ની વચ્ચે પાંચ વર્ષમાં દેવાંથી પરેશાન 29,486 લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે.

ભારતીય પરિવારો પર દેવાં વધી રહ્યાં છે. પરિણામે એનાથી બચત થઈ નથી રહી. રિઝર્વ બેન્કના ડેટા કહે છે કે દેશમાં નેટ હાઉસહોલ્ડ સેવિંગ્સ એટલે કે ઘરેલુ બચત 47 વર્ષના નીચટલા સ્તરે છે. 2022-23માં એ GDPના 5.3 ટકાએ હતી, જે 2021-22માં 7.3 ટકાએ હતી.

નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO)ના ડેટા કહે છે કે જૂન, 2018 સુધીમાં ગ્રામીણ પરિવારો પર સરેરાશ 59,748નાં દેવાં હતાં, જ્યારે શહેરી પરિવારો પર બે ગણા દેવાં હતાં. આ ડેટા છ વર્ષ જૂના છે અને હાલ એમાં ખાસ્સો વધારો થયો છે.