આજકાલ બ્રેઈન સ્ટોકના કેસ વધી રહ્યાં છે. ત્યારે મુંબઈના કાંદિવલીમાં આ વિષયની જાગૃતિ માટે જાહેર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં બે એકસપર્ટ ડોકટર્સ વકતવ્ય આપશે.

આજના યુગમાં હાર્ટ એટેકની ઘટનાઓ અવાર નવાર જોવા મળી રહી છે, યુવા વર્ગ પણ આ સમસ્યામાંથી બાકાત રહ્યો નથી. વર્તમાનમાં બ્રેઈન સ્ટ્રોક પણ ગમે ત્યારે અને ગમે તે ઉંમરની વ્યકિતને થવાના કિસ્સા વધતા જાય છે. જોકે આવા મહારોગો અચાનક જ ત્રાટકતા નથી, પરંતુ તેના લક્ષણો અગાઉથી જ દેખાવાના શરૂ થઈ જતા હોય છે. કરૂણતા એ છે કે તે આપણને મોટેભાગે સમજાતા નથી અથવા આપણે તેની ઉપેક્ષા કરી છીએ.

હકીકતમાં બ્રેઈન સ્ટ્રોક – સમસ્યાના કારણો પણ હોય જ છે. તે આપણને સંકેતો પણ આપે છે. આ સંકેતો અને કારણો કેવા હોય છે, તેને કઈ રીતે ઓળખવા – સમજવા એ બાબતોને સરળ ભાષામાં સમજાવવા માટે કાંદિવલ વેસ્ટમાં આગામી 21 માર્ચે એટલે શનિવારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એસીઆઈ ( એઈડ્સ કોમ્બેટ ઈન્ટરનેશનલ) અને મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્રારા સંયુકતપણે કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) ના સૌજન્યથી કરવામાં આવ્યું છે.
આ સેમિનારમાં ન્યુરૉલઓજીસ્ટ ડૉ. કેયુર પંચાલ અને ન્યૂરોસર્જન ડૉ. દર્પણ જે. ઠાકરે બ્રેઈન સ્ટ્રોકના કારણો અને આગેતરા સંકેતો વિશે વિસ્તારથી સમજાવશે. અહી એ નોંધવું જરૂરી છે કે બ્રેઈન સ્ટ્રોકના કિસ્સામાં સારવાર, સર્જરી બહુ ખર્ચાળ તો હોય જ છે પરંતુ સાથે-સાથે બહુ કોમ્પલેક્ષ અને જોખમી પણ હોય છે. તેથી જ તેના વિશે જાગ્રતિ અને સાવચેતી રાખવાનું વિશેષ મહત્વ છે.
આ નિશુલ્ક સેમિનારનો ઉદેશ લોકોમાં બ્રેઈન સ્ટોક અંગે જાગૃતિ અને અવેરનેસ લાવવાનો છે . સેમિનારનાં અંતમાં સવાલ-જવાબનું સત્ર થશે. સેમિનાર પંચોલિયા હોલ, ત્રીજે માળે, ટી પી ભાટિયા કોલેજના મકાનમાં, કેઆરસી કલબની નજીક, કાંદિવલી વેસ્ટમાં સાંજે 4 થી 6 યોજાશે.બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલો ધોરણે રહેશે. ઈચ્છુક દરેક લોકો આ સેમિનારમાં ભાગ લઈ શકે છે. વધુ માહિતી માટે ડો. ગિરીશ ત્રિવેદી- ૯૮૨૧૦૮૧૧૩૮ને સંપર્ક કરી શકો છો.


