મુંબઈ:બ્રેઈન સ્ટોકને લઈ તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે આ સેમિનારમાં

આજકાલ બ્રેઈન સ્ટોકના કેસ વધી રહ્યાં છે. ત્યારે મુંબઈના કાંદિવલીમાં આ વિષયની જાગૃતિ માટે જાહેર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં બે એકસપર્ટ ડોકટર્સ વકતવ્ય આપશે.

ડૉ. કેયુર પંચાલ, ન્યુરોલોજિસ્ટ અને ડૉ. દર્પણ ઠાકરે, ન્યુરોસર્જન

આજના યુગમાં હાર્ટ એટેકની ઘટનાઓ અવાર નવાર જોવા મળી રહી છે, યુવા વર્ગ પણ આ સમસ્યામાંથી બાકાત રહ્યો નથી. વર્તમાનમાં બ્રેઈન સ્ટ્રોક પણ ગમે ત્યારે અને ગમે તે ઉંમરની વ્યકિતને થવાના કિસ્સા વધતા જાય છે. જોકે આવા મહારોગો અચાનક જ ત્રાટકતા નથી, પરંતુ તેના લક્ષણો અગાઉથી જ દેખાવાના શરૂ થઈ જતા હોય છે. કરૂણતા એ છે કે તે આપણને મોટેભાગે સમજાતા નથી અથવા આપણે તેની ઉપેક્ષા કરી છીએ.

હકીકતમાં બ્રેઈન સ્ટ્રોક – સમસ્યાના કારણો પણ હોય જ છે. તે આપણને સંકેતો પણ આપે છે. આ સંકેતો અને કારણો કેવા હોય છે, તેને કઈ રીતે ઓળખવા – સમજવા એ બાબતોને સરળ ભાષામાં સમજાવવા માટે કાંદિવલ વેસ્ટમાં આગામી 21 માર્ચે એટલે શનિવારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એસીઆઈ ( એઈડ્સ કોમ્બેટ ઈન્ટરનેશનલ) અને મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્રારા સંયુકતપણે કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) ના સૌજન્યથી કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં ન્યુરૉલઓજીસ્ટ ડૉ. કેયુર પંચાલ અને ન્યૂરોસર્જન ડૉ. દર્પણ જે. ઠાકરે બ્રેઈન સ્ટ્રોકના કારણો અને આગેતરા સંકેતો વિશે વિસ્તારથી સમજાવશે. અહી એ નોંધવું જરૂરી છે કે બ્રેઈન સ્ટ્રોકના કિસ્સામાં સારવાર, સર્જરી બહુ ખર્ચાળ તો હોય જ છે પરંતુ સાથે-સાથે બહુ કોમ્પલેક્ષ અને જોખમી પણ હોય છે. તેથી જ તેના વિશે જાગ્રતિ અને સાવચેતી રાખવાનું વિશેષ મહત્વ છે.

આ નિશુલ્ક સેમિનારનો ઉદેશ લોકોમાં બ્રેઈન સ્ટોક અંગે જાગૃતિ અને અવેરનેસ લાવવાનો છે . સેમિનારનાં અંતમાં સવાલ-જવાબનું સત્ર થશે. સેમિનાર પંચોલિયા હોલ, ત્રીજે માળે, ટી પી ભાટિયા કોલેજના મકાનમાં, કેઆરસી કલબની નજીક, કાંદિવલી વેસ્ટમાં સાંજે 4 થી 6 યોજાશે.બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલો ધોરણે રહેશે. ઈચ્છુક દરેક લોકો આ સેમિનારમાં ભાગ લઈ શકે છે. વધુ માહિતી માટે ડો. ગિરીશ ત્રિવેદી- ૯૮૨૧૦૮૧૧૩૮ને સંપર્ક કરી શકો છો.