પ્રયાગરાજ: આજે મહા મહિનાની પૂનમ નિમિતે મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. સંગમ કિનારાની બંને બાજુ ફક્ત ભક્તો જ દેખાય છે. માઘ પૂર્ણિમાના દિવસે લોકોનો ઉત્સાહ એટલો બધો છે કે 74 લાખ લોકોએ વહેલી સવારે સંગમમાં ડૂબકી લગાવી.
प्रयागराज महाकुम्भ में पुष्पवर्षा
प्रयागराज महाकुम्भ में माघ पूर्णिमा पर श्रद्धालुओं का पावन स्नान जारी है।
धार्मिक मान्यता है कि माघ पूर्णिमा पर मां गंगा, यमुना और अदृश्य सरस्वती के पावन जल में होता है जगत के पालनहार भगवान विष्णु का वास। भगवान विष्णु के स्वरूप श्रद्धालुओं पर… pic.twitter.com/Ddov6HhHVQ
— Mahakumbh (@MahaKumbh_2025) February 12, 2025
46.25 કરોડથી વધુ ભક્તોએ ડૂબકી લગાવી
આજે મહા મહિનાની પૂનમના દિવસે, નાગા સાધુઓના અખાડાઓએ સૌથી પહેલા સ્નાન કર્યું. ત્યારબાદ અન્ય અખાડાઓએ અને પછી સંતોએ ડૂબકી લગાવી. આ પ્રક્રિયા પછી જ સામાન્ય ભક્તોએ સ્નાન કરવાનું શરૂ કર્યું. આજે સંગમ કિનારે સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 46.25 કરોડથી વધુ ભક્તો મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.
Dip and devout marks To celebrate Maghi Purnima Snan in the sacred waters of Maa Ganga since early morning. #माघ_पूर्णिमा_महाकुंभ pic.twitter.com/BiZqQXRAxW
— Mahakumbh (@MahaKumbh_2025) February 12, 2025
સીએમ યોગી સવારે 4 વાગ્યાથી નિરીક્ષણ કરવા બેઠા
પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે. વહીવટીતંત્રે અમૃત સ્નાન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. સીએમ યોગી પોતે સવારે 4 વાગ્યાથી માઘ પૂર્ણિમાના સ્નાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત, ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, મેળા વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને સમગ્ર પ્રયાગરાજ શહેરને નો વ્હીકલ ઝોન જાહેર કર્યું છે. મહાકુંભ દરમિયાન માઘ પૂર્ણિમા નિમિત્તે અત્યાર સુધીમાં 73 લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે, જેમાં 10 લાખથી વધુ કલ્પવાસીઓનો પણ સમાવેશ થાય છે.
