UNSC : શાંતિ સૈનિકોની સલામતી અને બચાવ માટે સંકલ્પ

અમદાવાદઃ યુનાઇટેડ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે (UNSC) કોરોના વાઇરસના પ્રકોપને ધ્યાનમાં રાખતાં સર્વસંમતિથી એક સંકલ્પ પસાર કર્યો છે. UNSCએ સૌપ્રથમ વાર આ પ્રકારનો સંકલ્પ પાસ કર્યો કર્યો છે. આ સંકલ્પ કોરોના રોગચાળાથી ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખતા કરવામાં આવ્યો છે. આ સંકલ્પ વિશ્વના વિવિધ દેશોમાં તહેનાત શાંતિ સૈનિકોની કોરોનાથી બચાવ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બધા ઉપાય કરવાના પ્રયાસ કરવાનો છે.

95.000થી વધુ શાંતિ સૈનિકો તૈનાત

UNSCના જણાવ્યાનુસાર 72 વર્ષોમાં સંયુક્કત રાષ્ટ્રના શાંતિ અભિયાનોએ વિશ્વના સળગતા મુદ્દાઓના રાજકીય સમાધાનમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છએ. UNSCના જણાવ્યાનુસાર હાલના સમયમાં વિશ્વભરમાં 95,000થી વધુ શાંતિ સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે. UNSCએ ભાર દઈને કહ્યું હતું કે આ ઓપરેશનોમાં શાંતિ સૈનિકોના પડકારો સતત વધી રહ્યા છે. પારંપરિક અને બિનપારંપરિક સુરક્ષા કારકોની સાથે શાંતિ સૈનિકોની સાલમતી માટે ગંભીર જોખમ હતાં. સંગઠને કહ્યું હતું કે આ વર્ષ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની 75મી વર્ષગાંઠ અને એના કાર્યકાળ માટે આ એક મહત્ત્વપૂર્ણ વર્ષ છે.

ચીને આ પ્રસ્તાવ મૂક્યો

ન્યૂઝ એજન્સી ઝિન્હુઆના જણાવ્યા પ્રમાણે UNSCએ એક નિવેદનમાં કહ્યું હતું કે શાંતિ સૈનિકોના બચાવ અને સુરક્ષા માટે આ પહેલો પ્રસ્તાવ છે. ચીન દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવને ઇટાલી, કજાકિસ્તાન, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, રશિયા, સ્પેન, તુર્કી અને વિયેતનામ સહિત 43 દેશોએ સમર્થન કર્યું હતું.

પ્રશિક્ષણ, સ્વાસ્થ્ય જેવાં મહત્ત્વનાં ક્ષેત્રો સામેલ

આ સંકલ્પમાં પ્રશિક્ષણ, સ્વાસ્થ્ય, ઔદ્યોગિકક અને ભાગીદારી જેવાં મહત્ત્વનાં ક્ષેત્રો સામેલ કરવામાં આવ્યા છે. જેનો હેતુ પ્રશિક્ષણની પ્રણાલીને મજબૂત કરવાનો, આરોગ્ય સુરક્ષા અને રાહત ક્ષમતાઓમાં સુધારો કરવો સામેલ છે. યજમાન દેશોની સાથે સંદેશવ્યવહારને મજબૂત કરવાની સાથે બે દેશો વચ્ચે વિશ્વાસ વધારવો. એની સાથે શાંતિ મિશનના સમન્વય તંત્રની વ્યવસ્થાને મજબૂત કરવાનો છે

કોરોના દર્દીઓની સંખ્યા 7,40,235 થઈ

વિશ્વભરમાં કોરોનાની ઝપટમાં આવનારા દર્દીઓની સંખ્યા વધીને 7,40,235 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા 35,035 થઈ છે. યુરોપમાં કોરોનાને કારણે 25,000 લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં અત્યાર સુધી 1,43,025 કેસોની પુષ્ટિ થઈ છે, જ્યારે 2,509 લોકોનાં મોત થયાં છે.