સરહદેથી ભારત-ચીન બંનેની સેનાઓ પાછી હટી

નવી દિલ્હીઃ ભારત અને ચીનની સેનાઓ LAC પીછેહઠ કરવા લાગી છે. બંને દેશો દ્વારા LAC સમજૂતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમચોક અને ડેપસાંગ મેદાનોમાંથી ભારતીય અને ચીની સૈનિકો  પીછેહઠ કરવાના લાગ્યા છે. સીમાવિવાદ દરમિયાન સૌથી વધુ તણાવ આ વિસ્તારોને લઈને હતો, તેથી અહીં સેનાની પીછેહઠને એક મોટો વિકાસ માનવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસો પહેલાં જ ભારત અને ચીન વચ્ચે ઘણા મુદ્દાઓ પર સમજૂતી થઈ છે. તે સમજૂતી બાદ જ પાંચ વર્ષ બાદ બ્રિક્સ સમિટમાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષી બેઠક જોવા મળી હતી. એ અલગ વાત છે કે ચીને પોતાના જારી કરેલા નિવેદનમાં સરહદ વિવાદનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, પેટ્રોલિંગ પોઈન્ટને લઈને કોઈ નિવેદન આપ્યું નથી. બીજી તરફ પીએમ મોદીએ સરહદ કરારનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું અને બંને દેશો વચ્ચે પરસ્પર સમજણ પર ભાર મૂક્યો.

બીજી તરફ ચીને કહ્યું હતું કે બંને પક્ષો કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઉકેલ શોધવામાં સફળ રહ્યા છે, ચીન આને સકારાત્મક રીતે લે છે. હવે આગામી તબક્કામાં ચીન ભારત સાથે મળીને કામ કરશે અને તેના સોલ્યુશન પ્લાનને એક્શનમાં લાવશે. ચીનનું આ નિવેદન હાથીના દાંત ચાવવાના અને બતાવવાના અલગ જેવું છે. નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે સરહદ વિવાદને લઈને સહમતી સધાઈ ગઈ છે ત્યારે તેના પર ખૂલીને ચર્ચાવિચારણા કરવી જરૂરી છે.