કોરોના રોગચાળો કંઈ કાયમ નહીં રહેઃ નિષ્ણાત

વોશિંગ્ટનઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો ફેલાવો રોકવા માટે ભારતે શરૂ કરેલી દેશવ્યાપી રસીકરણ ઝુંબેશે આજે એક વર્ષ પૂરું કર્યું છે અને 156 કરોડ નાગરિકોને કોરોના-પ્રતિરોધક રસી આપવાની સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે અત્રેના એક નિષ્ણાતે કહ્યું છે કે આ રોગચાળો કંઈ કાયમ રહેવાનો નથી. એનો અંત ટૂંક સમયમાં જ આવશે.

વોશિંગ્ટનસ્થિત વૈજ્ઞાનિક અને વાઈરોલોજિસ્ટ ડો. કુતુબ મેહમૂદનું કહેવું છે કે રસીકરણ એ આ રોગચાળા સામેનું સૌથી મજબૂત શસ્ત્ર છે. આ રોગચાળાનો અંત નજીક આવી રહ્યો છે. એ કંઈ કાયમને માટે ચાલુ રહી શકે નહીં.