લાલ કિલ્લા પાસેના વિસ્ફોટમાં સામેલ આતંકીઓનું હમાસ કનેક્શન?

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદીઓ, જે પોતાને ડોક્ટર અથવા મેડિકલ સ્ટાફ તરીકે રજૂ કરે છે, હોસ્પિટલ અને મેડિકલ સેન્ટરોમાં સ્ટાફના લોકરનો ઉપયોગ હથિયાર અને વિસ્ફોટકો રાખવા માટે કરી શકે છે – બરાબર તેમ જ જેમ ગાઝામાં હમાસ કરે છે, એમ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)નાં સૂત્રોએ માહિતી આપી હતી. સૂત્રોએ કહ્યું હતું કે આની પાછળ કોઈ આતંકી સલાહકાર હોઈ શકે છે.

એન્ટિ-ટેરર એજન્સી 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા બહાર થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહી છે, જેમાં 15 લોકોએ જાન ગુમાવ્યા હતા. આ હુમલા સાથે જોડાયેલા ઓછામાં ઓછા ત્રણ સંદિગ્ધ – મોહમદ શાકિલ, આદિલ અહમદ રાઠેર અને શાહીન સઈદ  તેમ જ અમોનિયમ નાઈટ્રેટ ફ્યુઅલ ઓઈલથી ભરેલી હ્યુન્ડાઈ i20 કાર ચલાવીને વિસ્ફોટ કરનાર આતંકી ઉમર મોહમ્મદ – બધા પાસે ડોક્ટર તરીકે કવર જોબ હતી.

શાકિલ અને મોહમ્મદ હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ હોસ્પિટલમાં કાર્યરત હતા, જ્યારે રાઠેર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્થિત શાસકીય મેડિકલ કોલેજમાં કામ કરતો હતો, જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે GMC પર દરોડો પાડ્યો ત્યારે રાઠેરના લોકરમાંથી એક અસોલ્ટ રાઈફલ અને ગોલા-બારુદ મળી આવ્ હતા. એ જ રીતે સઈદની એક કારમાંથી પણ રાઈફલ અને ગોલા-બારુદ જપ્ત કરવામાં આવ્યું હતું.

સંદિગ્ધોની પૂછપરછમાંથી મેળવેલી ગુપ્ત માહિતીના આધારે NIA ને અનંતનાગ, બારામુલ્લા અને બડગામ જિલ્લાનાં હોસ્પિટલોમાં હથિયાર ભંડારની આતંકીઓની યોજના વિશે ચેતવણી મળી હતી. આતંકીઓનું માનવું હતું કે મેડિકલ સુવિધાઓ સામાન્ય રીતે આતંકવાદ અથવા આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાતી નથી.

આ આયોજનમાં ગંભીર સંકેત હતા કે કેવી રીતે હથિયારો મોટા ગાઝા હોસ્પિટલોમાં છુપાવવામાં આવ્યાં હતાં. ઉદાહરણ તરીકે, જૂનમાં ઇઝરાયેલી સેનાએ અલ-શફા હોસ્પિટલની નીચે હમાસે બનાવી હતી એવી ટનલ નેટવર્ક મળ્યાનો દાવો કર્યો હતો. તેનું કહેવું હતું કે આ ટનલોમાં હથિયાર છુપાવવામાં આવ્યા હતા અને આ ટનલ્સ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે કાર્ય કરતી હતી.NIAનાં સૂત્રોએ કહ્યું હતું કે લાલ કિલ્લા વિસ્ફોટ પાછળનું 10 સભ્યોનું ‘ટેરર ડોક્ટર’ મોડ્યુલ – જેને ખૂફિયા એજન્સીઓએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડ્યું છે, તેમની પાસે પણ આવી જ યોજના હતી.