ગુજરાત સરકારે રાજ્યમાં 70થી વધુ માળની ગગનચુંબી ઇમારતો બાંધવા મંજૂરી આપી

ગાંધીનગરઃ રાજ્ય સરકારે 70થી વધુ માળની ગગનચુંબી બિલ્ડિંગો બાંધવા માટે મંજૂરી આપી દીધી છે. સરકારે રાજ્યનાં પાંચ મુખ્ય શહેરોમાં 70 કે તેથી વધુ માળની ઇમારતોના નિર્માણને મંજૂરી આપી છે. હાલના નિયમો અનુસાર રાજ્યમાં મહત્તમ 23 માળની બિલ્ડિંગો બાંધી શકાય છે.

હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં 70 અથવા તેનાથી વધુ માળની ઊંચી ઇમારતોના બાંધકામને મંજૂરી માટે કોમન GDCR (જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ)માં સંશોધન કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા મંજૂરીપ્રાપ્ત ઇમારતો વિશેના આ નવા નિયમો એ બિલ્ડિંગોને લાગુ પડશે, 100 મીટરથી વધુ ઊંચાં છે. આ પ્રકારના પ્રોજેક્ટોને મંજૂરી આપવા માટે એક સ્પેશિયલ ટેક્નિકલ કમિટીની રચના કરવામાં આવશે.

100થી 150 મીટરની વચ્ચેની ઊંચાઈવાળી ગગનચુંબી ઇમારતનું નિર્માણનું કદ 2500 સ્ક્વેર મીટરથી 3500 સ્ક્વેર મીટરમાં હોવું જોઈએ, જો પ્રસ્તાવિત ઊંચાઈ 150 મીટરથી વધુ હોય, એમ યાદીમાં કહેવામાં આવ્યું છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સિવાય નવા નિયમો હેઠળ મોડલનું માળખું વિન્ડ ટનલ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. રૂપાણીએ વિશ્વાસ દર્શાવ્યો હતો કે નમવા નિયમોથી જમીનનો મહત્તમ ઉપયોગ કરવા દેવામાં આવશે અને એથી ઘરોની કિંમતોમાં ઘટાડો થવામાં મદદ મળશે.