મુખ્ય સચિવ અનિલ મુકિમને છ મહિનાનું એક્સટેન્શન

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમને છ મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. અનિલ મુકિમે કોરોના સંક્રમણના સમયે કરેલી યોગ્ય કામગીરી બદલ રાજ્ય સરકારે તેમને છ મહિનાનું વધુ એક્સટેન્શન મળે એ માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની મુકિમના એક્સટેન્શનની અરજીને મંજૂર કરી છે. મુકિમ હવે ફેબ્રુઆરી 2021 સુધી મુખ્ય સચિવના પદે રહેશે.

સરકારની ભલામણને મંજૂરી

રાજ્યના ચીફ સેકેટરી અનિલ મુકિમ 31 ઓગસ્ટે નિવૃત થવાના હતા, પણ રાજ્ય સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે, તેથી હવે રાજ્યમાં અનિલ મુકિમ વધુ છ માસ સુધી ફરજ બજાવશે.

અનિલ મુકિમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના IAS અધિકારી રહ્યા છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે મુકિમે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં કામ કર્યુ છે. મુકિમ 1985 બેચના અધિકારી છે. તેઓ કેન્દ્ર સરકારના ખાણ વિભાગમાં સચિવપદ પર પણ કામ કર્યુ છે. રાજ્ય સરકાર દ્વારા પહેલી ડિસેમ્બરે તેમને રાજ્યના મુખ્ય સચિવ તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.