અગ્નિકાંડ મુદ્દે SITની તપાસનો ધમધમાટ, રીપોર્ટમા થયા ચોકાવનારા ખુલાસા

રાજકોટ: રાજ્યમાં એક બાજું લોકસભા ચૂંટણીના પરિણામો જાહેરાત બાદ રાજનીતિમાં ગરમાહટ જોવા મળી રહી છે. તો બીજી બાજું રાજકોટમાં 25મીમે ના હોમાયગેલા લોકો લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે SITના ઈન્ટ્રીમ રીપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. SITએ 10 મુદ્દાઓને આધારે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યા છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં કહ્યું છે કે, હજુ એક આરોપીને પકડવાનો બાકી છે. જેના માટે લૂકઆઉટ નોટિસ કાઢવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનને કાયમી સ્ટ્રકચર ગણીને કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગના જોઈન્ટ સેક્રેટરી વિગતવાર એફિડેવિટ કોર્ટમાં રજૂઆત કરી હતી. જ્યારે TRP ગેમ ઝોનમાં આગ બાદ એક્શન ટેકન રીપોર્ટ રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કર્યો. જ્યારે એક્શન ટેકન રીપોર્ટમાં 05:43 ના દુર્ઘટના બની હોવાની જાણ થયા બાદ 05:48 ના રાહત કામગીરી શરૂ કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત 28 મૃત્યુ થયા બાદ સરકારે કહ્યું કે શરૂઆતમાં 28 મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ DNA ટેસ્ટ જાણવા મળ્યું કે 27 મૃત્યુ થયા છે. ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાતે ગયા હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધાયેલ ફરિયાદ બાદથી અશોક સિંહ જાડેજા હજુ પકડથી દૂર, લુક આઉટ નોટિસ જાહેર, જ્યારે એક આરોપીનું દુર્ઘટનામાં મોત થયુ છે. નોંધનીય છે કે ઘટના બાદ રાજ્ય સરકારે સ્વીકાર્યુ કે ગેમ ઝોનને કાયમી સ્ટ્રક્ચર ગણવામાં આવશે. આ ઉપરાંત DM, મ્યુ કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને રાજ્ય સરકારે બિનઅધિકૃત એકમો પર કાર્યવાહી કરવાની સૂચના આપી. આ રીપોર્ટમાં સરકાર દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ગેમ ઝોન અને તેના ડેવલપમેન્ટ માટે કોઈ જ મંજૂરી લેવામાં આવી ન હતી. નોંધનીય છે કે આવતીકાલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે.