જળવાયુ પરિવર્તનને કારણે ગુજરાતના દરિયાકાંઠાનું થતું સંકોચન

અમદાવાદઃ રાજ્યની પાસે 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો છે.જોકે નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (NCCR) અનુસાર રાજ્યની પાસે 1945.60 કિમી લાંબો છે. જોકે સમુદ્રના વધતા સ્તર અને ઝલવાયુ પરિવર્તનને લીધે 537.5 કિમીનો દરિયાકાંઠાનું ધોવાણ થઈ રહ્યું છે. આ ધોવાણનું સ્તર દેશમાં સૌથી વધુ છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જના રાજ્યના મંત્રી અશ્વિનકુમાર ચૌબીએ રાજ્યસભાને જણાવ્યું હતું કે NCCRએ 1990થી 2018 સુધી દેશના 6632 કિમી લાંબા દરિયાકાંઠાનો અભ્યાસ કર્યો હતો, જેમાં 2318.31 અથવા 33.6 ટકા ભાગનું ધોવાણ થયું છે. ગુજરાતના દરિયાકાંઠાનમાંથી 27.6 ટકાનું ધોવાણ થઈ રહ્યું છે, પણ રાજ્યના દરિયાકાંઠો 512.3 કિમી સુધી સરકી રહ્યો હતો, એમ 2016નો એક રિપોર્ટ કહે છે. બે વર્ષમાં કપાયેલી જમીન 25 કિમીથી વધુ વધી ગઈ છે. રાજ્યસભાના 6 એપ્રિલ 2023ના એક જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત રાજ્યના જાણીતા બીચ આવનારા સમયમાં ગાયબ અથવા નામશેષ થવાની દિશામાં છે.

વળી, હાલમાં દ્વારકાના શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચની માન્યતા મળી છે, પણ બીચનો દરિયાકાંઠો જોખમમાં છે. શિવરાજપુરનો સમુદ્ર તટ 32,692.74 સ્ક્વેર મીટર ધોવાણ હેઠળ છે અને 2396 સ્ક્વેર મીટરમાં કાંપનો વધારો થયો છે. આ ઉપરાંત માંડવી, તિથલ, દાંડી,  સુવાલી અને ડાભરી જેવા બીચ ગાયબ થવાને આરે હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સાથે કચ્છના માંડવી તટે પણ 20,471.44 સ્કવેર મીટર વિસ્તારમાં કાંપનો વધારો થયો છે. દેશમાં 33.6 ટકા દરિયાકાંઠો ધોવાણ હેઠળ છે અને 26.9 ટકા દરિયાકાંઠામાં કાંપ, કીચડ અને કચરાના લીધે નુકસાન થઈ રહ્યું છે.