સરકારે આપી શિક્ષકોને ગુરુ પુર્ણીમાની ભેટ

ગુજરાતમાં HTAT ના મુખ્ય શિક્ષક તરીફે ફરજા નિભાવના શિક્ષકો 16 જુલાઈના રોજ ગાંધીનગર તરફ આગળ વધ્યા હતા. વર્ષોની જૂની મગોને લઈ શિક્ષકોએ ગાંધનગર કૂચ કરી હતી. આ ઉપરાંત માંગના સંતોષવામાં આવે ત્યા સુધી ઉપવાસ આંદોલનનું પણ એલાન કર્યુ હતું. આ આંદોલન સામે રાજ્ય સરકારે નમતુ મુક્યું છે. જ્યાં HTATના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે નિયમોમાં ફેરફાર નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં..

  1. મહેકમ ગણવાની પદ્ધતિ: બાલવાટિકાથી ધો. 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
  • ધો.6થી 8માં 900 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
  • બાલવાટિકાથી ધો.8માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

(2) જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની સ્કૂલમાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જરૂરી.

(3) જિલ્લા ફેરબદલીની માગણી હોય, ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઇએ. 50% જગ્યાઓ અગ્રતાથી અને 50% શ્રેયાનતાથી ભરવાની રહેશે.

(4) તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય-રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ-પત્નીની બદલીઓ, રાજ્યના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી અને કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ-પત્નીની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવી છે.

(5) દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી ક૨શે.

(6) જે-તે સ્કૂલમાં મહેકમ જળવાતું ન હોય તો તેમને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી સ્કૂલોમાં ખાલી જગ્યા 52, એ પછી તાલુકાની મંજૂર મહેકમવાળી સ્કૂલોમાં ખાલી જગ્યાઓ 52, એ પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી સ્કૂલોમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે.

(7) જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક અરસ પરસ બદલી

  • બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈપણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે.
  • આંતરિક અને જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઇએ.