કોલકત્તાની RG Kar હોસ્પિટલમાં તાજેતરમાં એક મહિલા ડોક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાની ઘટનાનો ભારત સહિત તમામ એશિયાના તબીબો અને આમજનતા દ્વારા વિરોધ થઇ રહ્યો છે.
ત્યારે અદાણી શાંતિગ્રામ સોસાયટીના રહિશો દ્વારા રેલી યોજીને આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. રેલીમાં 150થી વધુ સ્થાનિકો જોડાયા હતા.
અદાણી શાંતિગ્રામ વોટરલીલી આવાસથી યોજાયેલી રેલીના સભ્ય અનિલ સિંહે કહ્યું કે “આપણી યાદોમાં આ સૌથી દુઃખદ સ્વતંત્રતા દિવસ રહ્યો દુર્ભાગ્યપૂર્ણ ઘટના કોઇ એક સાથે થાય છે અને તેના પડઘાં સમગ્ર સમાજ પર પડે છે. આવી ઘટનાને પગલે સમાજનો એક ભાગ હોવા બદલ દોષિત અનુભવાય છે. આવી દુષ્ટતા સામે આપણા જ સગાંઓની સલામતી અંગે તદ્દન લાચારી અનુભવીએ છીએ.”
વધુ એક સ્થાનિકે કહ્યું કે, “આપણા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ બનેલી આ ઘટના કદાચ ‘નિર્ભયા 2.0’ છે. જેણે ભારતના લોકોના મન અને હૃદય પર અસર કરી છે.”
