ટીવી, ફિલ્મી પડદે આવતાં સ્થળોએ જવા ઇચ્છતા ભારતીયોઃ સર્વે

નવી દિલ્હીઃ ભારતીયો હવે બોલીવૂડની ફિલ્મો અને ટીવીમાં આવતા કાર્યક્રમોને આધારે ફરવા જવાનાં સ્થળો પસંદ કરી રહ્યા છે. 2024માં 94 ટકા ભારતીયો એ જ સ્થળોએ જવા ઇચ્છે છે. આમાં સિમલાથી માંડીને પેરિસ સુધીના પસંદગીના સ્થળો છેન આ વાત એક સર્વેમાં બહાર આવી છે.

સ્કાયસ્કેનરે 1000 ભારતીયો પર સર્વે કર્યો છે, જે મુજબ 2024માં ભારતીયોને પ્રવાસ કરવા માટે પ્રોત્સાહન આપતાં ટોચનાં શહેરોમાં હિમાચલ પ્રદેશનું મનાલી છે, જ્યાં ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મથી લોકો પ્રભાવિત છે. ત્યાર બાદ લદ્દાખ છે, જ્યાં 47 ટકા લોકો જવા ઇચ્છે છે. એને ‘3 ઇડિયેટ્સ’માં બતાવવામાં આવ્યું હતું. આ સાથે લંડનમાં 43 ટકા ભારતીયો ફરવાનું પસંદ કરે છે.

વર્ષ 2023માં જે ભારતીયોએ વિદેશ યાત્રા કરી હતી, તેટલા પ્રવાસીઓ આગામી વર્ષે વિદેશ પ્રવાસ જવા ઇચ્છે છે. 2024માં મોટા ભાગના લોકો વિયેતનામ અને અજરબૈજાનમાં જવા ઇચ્છે છે. ત્યાર બાદ જાપાનના ટોક્યોમાં અને સ્વિટ્ઝર્લેન્ડના જિનેવામાં લોકો જવા ઇચ્છે છે.