કર્નલ સોફિયા વિશે વિવાદાસ્પદ નિવેદનઃ HCનો FIR નોંધવા આદેશ

ભોપાલઃ મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહના કર્નલ સોફિયા કુરેશી વિશે વિવાદાસ્પદ નિવેદનને કારણે હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે તેમની સામે FIR નોંધવા આદેશ આપ્યો છે.  . હાઇકોર્ટના નિર્દેશ મુજબ તેમની વિરુદ્ધ ચાર કલાકની અંદર FIR નોંધાવી જોઈએ.

વાસ્તવમાં, એક કાર્યક્રમ દરમિયાન વિજય શાહે સોફિયાનું નામ લીધા વિના એવું નિવેદન આપ્યું હતું જેનાથી તેઓ મુશ્કેલીમાં ફસાયા હતા. કોંગ્રેસે પણ તેમના વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.

વિજય શાહે શું કહ્યું હતું?
વિજય શાહે કહ્યું હતું કે  “જેમણે આપણા દીકરીઓના સિંદૂર ઉજાડી દીધા હતા, તે કટેલા-પિટેલા લોકો સામે તેમની જ બહેનને મોકલીને તેમની ઐસીતેસી કરી. તેમણે કપડાં ઉતારીને આપણા હિન્દુઓને માર્યા હતા અને મોદીજીએ તેમની બહેનને તેમની ઐસીતૈસી કરવા માટે આપણા વિમાનમાં બેસાડીને તેમના ઘરે મોકલ્યા. તેમણે નામ લીધા વગર કર્નલ સોફિયાના ધર્મને લઈને ટિપ્પણી કરી હતી, જેથી સોશિયલ મિડિયા પર તેમને બહુ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

હાઇકોર્ટે આ મામલાનું સ્વયં માહિતી લઈને વિજય શાહને ફટકાર લગાવી હતી. હાઇકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરનની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કહ્યું કે ચાર કલાકની અંદર તેમની વિરુદ્ધ FIR દાખલ થવી જોઈએ. આ મામલાની આગલી સુનાવણી આવતી કાલે થશે. બીજી બાજુ, વિજય શાહે આ વિવાદાસ્પદ નિવેદન માટે માફી પણ માગી લીધી છે.