શું છે અદાણી ગ્રુપની ભાવિ યોજનાઓ?

અમદાવાદઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીએ અદાણી ગ્રુપનો ફ્યુચર પ્લાન જણાવ્યો છે. વર્ષ 2030 સુધીમાં અદાણી જૂથે ઓછામાં ઓછા એક અબજ ટન વોલ્યુમની કંપની બનવાનું લક્ષ્ય નિર્ધાર્યું છે, કારણ કે ભારતનો વેપાર ઝડપથી વિકાસ પામી રહ્યો છે. અમે પણ આ વિકાસયાત્રાનો ભાગ બનવા માગીએ છીએ. અમે ભારતમાં વિશ્વસનીય સપ્લાય ચેઇન સોલ્યુશન્સ જાળવવા કામ કરી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

તેઓ જણાવે છે કે અલબત્ત, અમુક પોઝિશન્સને કારણે તે અમારા માટે વ્યૂહરચના જરૂરી બની જાય છે. અમે ભારતના મુખ્ય વેપાર માર્ગોને ઓળખીએને ત્યાં પોઝિશન લઈએ છીએ, તે માર્ગો વચ્ચે વેપાર કરીએ છીએ. જોકે તેનો અર્થ એ નથી કે દેશની જિયો પોલિટિકલ પ્રાથમિકતાઓ ગ્રુપની પણ પ્રાથમિકતા હોય. આખરે અમે જોખમ કેટલું છે તેને પારખીએ છીએ. ઘણી વાર જોખમ લેવાથી ફાયદો થતો હોય છે. નુકસાન પણ થાય છે, જોકે આ બધું ચાલતું રહે છે.

અમારો પરિવાર અદાણી ગ્રુપમાં સૌથી મોટો શેરધારક છે. છેવટે અમારા રોકાણકારોને વળતર આપવું જરૂરી હોય છે, તેથી સંતુલન પણ જરૂરી છે. રોકાણકારોના દ્રષ્ટિકોણથી જુઓ તો, એક જૂથ તરીકે અમે 2007-2008માં સંક્રમણમાંથી પસાર થયા છીએ. 2007-2008માં અમારી પાસે હોલ્ડિંગ માળખું હતું. પહેલા અમારી પાસે અદાણી એન્ટરપ્રાઇઝીસ હતી. ત્યાર બાદ બાકીની સબસિડિયરી કંપનીઓએ કંપનીઓને અલગ કરવાનું શરૂ કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.

પિતા ગૌતમ અદાણી વિશે વાત કરતાં તેઓ જણાવે છે મને લાગે છે કે મારા પિતાએ જે કામ કર્યું તેવું કદાચ હું કરી શકીશ નહીં. મારી નબળી બાજુ અને મજબૂત બાજુઓથી અમે વાકેફ છીએ. અમે મજબૂત બાજુને વધારી રહ્યા છીએ. મારા પિતા તરફથી હું જે શીખ્યો છું તેનો મારા રોજિંદા કામમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કરું છું.

અદાણી ગ્રુપને આગળ લઈ જવાની જવાબદારી તેમના પુત્રો કરણ અદાણી અને જીત અદાણી અને ભત્રીજા પ્રણવ અદાણીના અને સાગર અદાણી ખભા પર રહેશે.