હવે આધારમાં એડ્રેસ બદલવાનું સરળઃ આ રહી પ્રક્રિયા

નવી દિલ્હીઃ વિદેશમાં રહેલા ભારતીયો માટે એક ખુશ ખબર છે. નોકરી કરવા માટે વિદેશ ગયા છે અથવા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈને નોકરી કરી રહ્યા એ લોકોએ હવે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માટે આધાર સેન્ટરના ધક્કા નહીં ખાવા પડે.  બેંક એકાઉન્ટ સહિત બધા જ નાના મોટા કામમાં હવે આધાર કાર્ડ આપવાની જરૂર પડી જાય છે. હવે સરકારે આ કામ સાવ સરળ કરી નાંખ્યું છે. નવા નિયમ હેઠળ તમે નવા એડ્રેસનો સેલ્ફ ડિક્લેરેશેન લેટર આપીને કામ પતાવી શકો છો.

આ નિયમના કારણે આધાર કાર્ડ પર એડ્રેસ બદલાવવું સરળ થઈ જશે. UIDAI તમારા સેલ્ફ ડિક્લેરેશન લેટરથી જ એડ્રેસ બદલી આપશે. આ માટે તમારે ભાડા કરાર કે લિસ્ટેડ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાની જરૂર નહિ પડે. તમે આધાર કેંદ્ર જઈ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સાથે એડ્રેસ બદલવાની અરજી કરી શકો છો. આશા છે કે સેલ્ફ ડિક્લેરેશન મારફતે ઓનલાઈન એડ્રેસ બદલાવવાની પણ સુવિધા આપવામાં આવશે કારણ કે અત્યાર સુધી ઓનલાઈન અને ઓફલાઈન એડ્રેસ ચેન્જ માટે એક સરખા ડોક્યુમેન્ટની જ જરૂર પડતી હતી. જાણો ઓનલાઈન આધાર એડ્રેસ કેવી રીતે બદલી શકાય.

સૌથી પહેલા UIDAIની અધિકૃત વેબસાઈટ https://uidai.gov.in/ પર જાવ. ત્યાં My Adhaar ટેબ પર જાવ. ડ્રોપ ડાઉન કરીને બીજા ટેબ Update Your Adhaar માં જાવ અને ડ્રોપડાઉનમાં ત્રીજો વિકલ્પ Update your address online સિલેક્ટ કરો. ક્લિક કરતા સાથે જ નવું પેજ ખૂલશે. અહીં નીચે જવા પર Proceed to Update Address પર ક્લિક કરો. ફરી એક નવું પેજ ખૂલશે.

આ પેજ પર પહેલા પોતાનો આધાર નંબર, કેપ્ચા વેરિફિકેશન નાંખી Send OTP પર ક્લિક કરો. આધાર રજિસ્ટર્ડ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી નીચે Enter OTP/TOTP ની નીચે 6 અંકનો OTP નાંખો અને Login પર ક્લિક કરો.  આ પેજ પર Update Address via Address Proof, Update Address via Secred Code નો વિકલ્પ આપવામાં આવ્યો છે. એડ્રેસ પ્રૂફનો વિકલ્પ પસંદ કરવા પર નવું પેજ ખૂલશે. તેમાં તમારે એડ્રેસની વિગતો ભરવાની પહેશે. ત્યાર પછી યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. બીજો ઓપ્શન એ લોકો માટે છે જે કોઈ સંબંધીનું એડ્રેસ પોતાના એડ્રેસમાં ઉમેરવા માંગે છે.

UIDAI તરફથી મોકલેલા કોડનો ઉપયોગ કરીને તમે આ કામ કરી શકો છો. નવા નિયમ અંતર્ગત અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ માધ્યમથી આધાર એડ્રેસ ચેન્જનો વિકલ્પ આવી જાય અને પ્રૂફ માટે જરૂરી દસ્તાવેજનું લિસ્ટ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં જોડી દેવામાં આવે. તમે નવા વિકલ્પ પર ક્લિક કરીને આગળની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. ઓનલાઈન એપ્લિકેશન વેરિપિકેશન પછી આધાર પર એડ્રેસ બદલી નાંખવામાં આવશે. તમારા નવા એડ્રેસ પર પોસ્ટ મારફતે આધાર આવી જશે.

બુધવારે જાહેર કરેલી એક અધિસૂચના મુજબ, મની લોન્ડ્રિંગ નિવારણ અધિનિયમમાં સંશોધન કરીને આ ફેરફાર કર્યા છે. હવે પ્રવાસીઓએ મૂળ એડ્રેસ તેમના આધાર કાર્ડમાં રહેશે અને તે કાર્યસ્થળનું વર્તમાન એડ્રેસ એમાં લખી શકશે. આ નિયમથી એવા પ્રવાસીઓને મદદ મળશે કે જેના આધારમાં મૂળસ્થાનનું એડ્રેસ છે પણ તે કામકાજ અર્થે જે એડ્રેસ પર રહે છે એ એડ્રેસ પર જ બેંક એકાઉન્ટ ખોલવવા માગે છે.