લોકડાઉનમાં ટકી રહેવા લાખો લોકોએ PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા

નવી દિલ્હીઃ કોવિડ-19ને ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન દરમ્યાન આઠ લાખથી વધુ નોકરિયાત લોકોએ પોતાના નિવૃત્તિ માટે જમા થયેલી રકમમાંથી પૈસા ઉપાડ્યા હતા. શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ આ સમયગાળામાં 8.2 લાખ લોકોએ EPFO અને ખાનગી PF ટ્રસ્ટોથી કુલ રૂ. 3,243.17 કરોડ ઉપાડ્યા હતા. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ પાછલા 28 તારીખે સંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પોતાના નિવૃત્તિ ફંડમાંથી નોન-રિફન્ડેબલ એડવાન્સ કાઢવા માટે મંજૂરી આપી હતી.

શ્રમ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયને અંતર્ગત કામ કરતા EPFOએ કુલ 12,91 લાખ દાવાઓનું સમાધાન કર્યું હતું.આમાં વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના (PMGKY) પેકેજ હેઠળ 7.40 લાખ કોરવિડ-19 ક્લેમ સામેલ છે.

EPFOએ અત્યાર સુધી કોવિડ-19થી સંકળાયેલા 2,367.65 કરોડના દાવાઓનું સમાધાન કર્યું છે. આ દરમ્યાન એક્ઝેમન્પેટેડ પીએફ ટ્રસ્ટે ઉલ્લેખનીય દાવાઓનું સમાધાન કર્યું છે. મંત્રાલયના જણાવ્યા મુજબ 27 એપ્રિલ, 2020 સુધી એક્ઝેમ્પટેડ પીએફ ટ્રસ્ટે 79,743 સભ્યોના કુલ રૂ. 875.52 કરોડનું ફંડ પીએફ એડવાન્સના રૂપે આપ્યું છે.