લોકડાઉનને વ્યાપક સ્તરે ઉઠાવી લેવું જોઈએઃ આનંદ મહિન્દ્રા

નવી દિલ્હીઃ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સૂચન કર્યું છે કે સરકારે કુલ 49 દિવસો પછી વ્યાપક સ્તરે કોરોનાવાઈરસ લોકડાઉન ઉઠાવી લેવું જોઈએ. તેમનું કહેવું છે કે જો દેશના વિવિધ ભાગોમાં ધીરે-ધીરે લોકડાઉન ઉઠાવવામાં આવશે તો ઔદ્યોગિક કામગીરી ચલાવવી મુશ્કેલ હશે અને એની ગતિ ધીમી પડશે. મહિન્દ્રાનું માનવું છે કે સરકાર માટે લોકડાઉનથી બહાર નીકળવાની યોજના બનાવવી એ પડકારરૂપ કાર્ય છે, કેમ કે અર્થતંત્રની તમામ બાબત એકબીજા સાથે સંકળાયેલી છે. તેમણે કહ્યું હતું કે આગળની યોજના મોટા પાયે સંક્રમણને નિયંત્રિત કરવા અને પરીક્ષણ કરવા માટે આધારિત હોવી જોઈએ. દેશનાં હોટ સ્પોટ વિસ્તારો અને અતિસંવેદનશીલ જૂથોને જ અલગ રાખવા જોઈએ.

49 દિવસોનું લોકડાઉન બહુ

આનંદ મહિન્દ્રાએ એક પછી એક ટ્વીટ કરતાં કહ્યું હતું કે સંશોધનથી માલૂમ પડે છે કે 49 દિવસનું લોકડાઉન ઘણું છે. મારું માનવું છે કે લોકડાઉન જો ઉઠાવવામાં આવે તો એ વ્યાપક સ્તરે હોવું જોઈએ.

ઔદ્યોગિક કામગીરી ચલાવવી ઘણી મુશ્કેલ

મહિન્દ્રાએ કહ્યું હતું કે જો લોકડાઉનને ધીમે-ધીમે વિવિધ ક્ષેત્રોમાંથી ઉઠાવવામાં આવશે તો એનો અર્થ એ થશે કે ઔદ્યોગિક કામગીરીને ચલાવવી ઘણી મુશ્કેલ પડશે. જ્યાં સુધી બાંધકામ પ્રવૃત્તિ અને કારખાનાઓની વાત છે તો એમાં એક ફીડર કારખાનું પણ બંધ રહે તો ઉત્પાદનનું અંતિમ સ્વરૂપ નહીં લઈ શકે.