અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

અમદાવાદ: અદાણી સિમેન્ટે ઉમિયા ધામ ખાતે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મંદિરનું રાફ્ટ ફાઉન્ડેશનનું કાસ્ટિંગ કાર્ય સંપ્પન કરીને એક ઐતિહાસિક ઇજનેરી કાર્યક્ષમતાની સિદ્ધિ હાંસલ કરી છે. આ કાર્ય તેમણે તેમના ગ્રુપ અસોસિયેટ મે. પી.એસ.પી. ઇન્ફ્રા સાથે મળીને કર્યું છે. આ પ્રકલ્પ માટે વિક્રમજનક અમલીકરણ લોજિસ્ટિકલ સ્કેલ, તકનિકી ચોક્સાઇ અને ટકાઉપણાની નવીનતાનો સમન્વય સાધવાની અદાણી સિમેન્ટની અનોખી કાર્યક્ષમતા પુરવાર કરે છે.આ સિદ્ધિ ૨૪,૧૦૦ ક્યુબિક મીટર્સ (M3) ECOMaxX M45 ગ્રેડ લૉ-કાર્બન કોંક્રિટનો ઉપયોગ કરીને સતત ૫૪ કલાક સુધી કામગીરી કરવામાં આવી હતી. નવા માપદંડો સ્થાપિત કરતું અદાણી સિમેન્ટ દ્વારા બનાવાયેલું આ કોંક્રિટ પ્રોપ્રાઇટરી ટકાઉ મિશ્રણ છે. આ કામગીરી વ્યૂહાત્મક રીતે સ્થિત 26 રેડી-મિક્સ કોંક્રિટ (RMX) પ્લાન્ટ્સ, સિન્ક્રોનાઇઝ્ડ લોજિસ્ટિક્સ નેટવર્કમાં કાર્યરત 285થી વધુ ટ્રાન્ઝિટ મિક્સર્સ, ૩૬૦૦ ટનથી વધુ હાઇ-પર્ફોર્મન્સ સિમેન્ટ અને ત્રણથી વધુ દિવસોમાં શિફ્ટ્સમાં કામ કરતા 600થી વધુ કુશળ કારીગરો તેમજ ટેક્નિકલ નિષ્ણાંતોની મદદથી સંપ્પન થઈ હતી.

કોલ્ડ જોઇન્ટ્સ વિના સતત રેડવાની સમગ્ર કામગીરી સુનિશ્ચિત થઈ શકે તે માટે સમગ્ર પ્રક્રિયા દરમિયાન શ્રેષ્ઠ તાપમાન નિયંત્રણ અને મિશ્રણની એકરૂપતા જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખી બનાવવામાં આવી હોવાથી. ECOMaxX કોંક્રિટના ઉપયોગથી પ્રકલ્પની કાર્બન ફૂટપ્રિન્ટ્સ નોંધપાત્ર રીતે ઘટી હતી જે હરિત નિર્માણના આયામોની અદાણી સિમેન્ટની પ્રતિબદ્ધતાને સાંકળે છે.

અદાણી સમૂહના સિમેન્ટ વ્યવસાયના સી.ઈ.ઓ. વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે 60 એકરમાં ફેલાયેલું ઉમિયા ધામ એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સીમાચિહ્ન બનવા સજ્જ છે. તેમાં આશરે રૂ. ૨,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પ ફક્ત વિશ્વ વિક્રમ સર્જવાનો નહી, પણ અદાણી સિમેન્ટની ગુણવત્તાયુક્ત કાર્યક્ષમતા, સ્કેલ, ગતિ અને હેતુને પ્રસ્તુત કરનારો છે.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે “જગત જનની મા ઉમિયા (પાર્વતી) મંદિરનું વિશ્વ વિક્રમી ફાઉન્ડેશન એ ભારતના સાંસ્કૃતિક અને ઇજનેરી વારસા માટે જાજરમાન પળ છે. મોટા પ્રકલ્પોના ચોક્સાઇપૂર્વક અમલીકરણમાં અદાણી સિમેન્ટની પુરવાર થયેલી નિપુણતા તેમને અમારા સ્વાભાવિક હિસ્સેદાર બનાવે છે.”

જાસપુરમાં એક વિશાળ સામાજિક અને સાંસ્કૃતિક પરિસરના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે જેની પરિકલ્પના કરવામાં આવી છે એવા વિશ્વના સૌથી ઊંચા ભાવિ મંદિર માટે ૪૫૦ ફૂટ x ૪૦૦ ફૂટ x ૮ ફૂટ માપનો રાફ્ટ ફાઉન્ડેશન ૫૦૪ ફૂટ ઊંચા જગત જનની મા ઉમિયા મંદિર માટે ૧,૫૫૧ ધર્મ સ્તંભોને ટેકો આપશે.. ECOMaxX M45 કોંક્રિટ મિશ્રણમાં ૬૬ ટકા સપ્લીમેન્ટરી સિમેન્ટીશિયસ મટિરિયલ (SCM)નો સમાવેશ થાય છે, જેના પરિણામે કાર્બન ફૂટપ્રિન્ટમાં ૬૦ ટકાનો ઘટાડો થાય છે. પ્રોપ્રાઇટરી કૂલક્રીટ ફોર્મ્યુલેશન, પ્લેસમેન્ટ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસથી નીચે જાળવી રાખે છે, જે થર્મલ સ્ટ્રેસ ઘટાડે છે. સ્ટ્રક્ચરમાં જડિત થર્મોકપલ્સ વાસ્તવિક સમયમાં તાપમાન અને ટકાઉપણુંનું નિરીક્ષણ કરતા રહે છે.