મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગત રોજ રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું . આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી-એસસીપીના વડા શરદ પવાર હાજર રહ્યા હતા. રોહિત શર્માએ પોતાના માતા-પિતાને સ્ટેજ પર બોલાવીને સ્ટેન્ડનું ઉદ્ઘાટન કર્યું.
ભારતની ODI ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડ ખોલવામાં આવ્યો છે. આ સ્ટેન્ડના ઉદ્ઘાટન દરમિયાન રોહિત શર્માએ તેના માતાપિતા અને પત્ની રિતિકા સજદેહને સ્ટેજ પર બોલાવ્યા હતાં. સીએમ ફડણવીસ અને એનસીપી નેતા શરદ પવાર પણ આ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતાં.
(તમામ તસવીરો: દીપક ધૂરી)
