મુંબઈ, થાણેમાં દુકાનો બંધ કરાવાતાં વેપારીઓ નારાજ

મુંબઈ અને પડોશના વિસ્તારોમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ વધી જતાં સ્થાનિક વહીવટીતંત્ર ચિંતિત છે. મહારાષ્ટ્ર સરકારે સપ્તાહાંત લોકડાઉન અને નાઈટ-કર્ફ્યૂના કડક નિયંત્રણો લાગુ કર્યા છે. મોલ્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ધાર્મિક સ્થળો 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે. પરંતુ આ નિયંત્રણોથી મુંબઈ અને પડોશના થાણે જિલ્લાના વેપારીઓ નારાજ થયા છે. 6 એપ્રિલ, મંગળવારે મુંબઈના બોરીવલી, દહિસર, દાદર સહિતના વિસ્તારોમાં અને પડોશના થાણે જિલ્લાના મીરા રોડ, ભાયંદર જેવા ઉપનગરોમાં સવારના સમયમાં પોલીસોએ જબરદસ્તીથી દુકાનો બંધ કરાવતાં વેપારીવર્ગમાં નિરાશા-નારાજગી વ્યાપી ગઈ હતી. એમનો દાવો છે કે નિયંત્રણોમાં દુકાનો સવારના ભાગમાં બંધ રાખવા વિશે સ્પષ્ટતા કરાઈ નથી. (તસવીરોઃ દીપક ધુરી)