રાહુલ ગાંધીએ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે મંગળવારે સાંજે પાંચ વાગ્યે શાંત થશે. આજે ચૂંટણી પ્રચારની શરૂઆત કરતાં પહેલા રાહુલ ગાંધી અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરમાં દર્શન કરવા ગયા હતા, ત્યાં તેમણે જગતના નાથની આરતી ઉતારી હતી, અને ગુજરાતમાં કોંગ્રેસની જીત થાય તે માટે પ્રાર્થના કરી હતી. મહંત દિલીપદાસજી મહારાજને વંદન કર્યા હતા, અને તેમના આશિર્વાદ મેળવ્યા હતા.