મીરા-ભાયંદરમાં ‘સમર્પિત કોવિડ હેલ્થ સેન્ટર’નું ઠાકરે દ્વારા લોકાર્પણ…

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 3 ઓગસ્ટ, સોમવારે બપોરે મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરારોડ-ભાયંદર શહેરો (મીરા-ભાયંદર વિસ્તાર)માં કુલ 366-પલંગવાળા ‘સમર્પિત કોવિડ હેલ્થ સેન્ટર’નું ઓનલાઈન માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. ભાયંદરસ્થિત સ્વ. પ્રમોદ મહાજન હોલ (206-બેડ) અને સ્વ. મીનાતાઈ ઠાકરે મંડઈ ઈમારતમાં (160-બેડ)ની ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં આવી છે. કોરોના વાઈરસના દર્દીઓનો અહીં મફત ઉપચાર કરવામાં આવશે. (તસવીરોઃ દીપક ધુરી)

આ કોવિડ હેલ્થ સેન્ટર આવશ્યક તબીબી સેવાઓથી સુસજ્જ છે. સ્થાનિક શિવસેના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક, રાજ્ય સરકાર અને ‘મ્હાડા’ સંસ્થાના સહિયારા પ્રયત્નોને પગલે આ કોવિડ હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.