મનોહર પરિકર પંચતત્ત્વમાં વિલીન થયા…

ગોવાના મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પરિકર, જેમનું કેન્સરની બીમારી સામે લડતાં 17 માર્ચ, રવિવારે પણજીમાં એમના નિવાસસ્થાને નિધન થયું હતું, એમના પાર્થિવ શરીરનાં 18 માર્ચ, સોમવારે પણજીના મીરામાર બીચ પર સંપૂર્ણ લશ્કરી સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એમના મોટા પુત્ર ઉત્પલે અગ્નિદાહ આપ્યો હતો. અંતિમ સંસ્કાર વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન સહિત અનેક મહાનુભાવો તથા હજારોની સંખ્યાાં સમર્થકો હાજર હતાં.