લશ્કરી જવાનોને શૌર્ય ચંદ્રક એનાયત કરાયા…

મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે 20 ફેબ્રુઆરી, ગુરુવારે સધર્ન કમાન્ડ ઈન્વેસ્ટિચર કાર્યક્રમ દરમિયાન પુણેમાં ફરજ પર મૂકવામાં આવેલા 12 લશ્કરી જવાનોને શૌર્ય માટેના ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. લેફ્ટેનન્ટ જનરલ સી.પી. મોહંતી (જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, સધર્ન કમાન્ડ)એ 51 લશ્કરી જવાનો તથા સધર્ન કમાન્ડના 22 યુનિટ્સને બહાદૂરી તથા વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી બજાવવા બદલ ચંદ્રકો, એવોર્ડ એનાયત કર્યા હતા. 12 આર્મી જવાન અને છ યુનિટ્સ પુણેમાં સેવા બજાવે છે. આ પ્રસંગે એવોર્ડવિજેતા જવાનોનાં પરિવારજનો, સેનાનાં અધિકારીઓ, મિડિયાકર્મીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)