જમ્મુમાં ચાર ત્રાસવાદીનો ખાત્મો; શસ્ત્રો-દારૂગોળો જપ્ત…

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના જમ્મુ જિલ્લામાં 19 નવેમ્બર, ગુરુવારે નાગ્રોટા વિસ્તારમાં ટોલ પ્લાઝા ખાતે સુરક્ષા જવાનોએ એક એન્કાઉન્ટરમાં ચાર ત્રાસવાદીને ઠાર માર્યા હતા. જવાનોએ મૃત ત્રાસવાદીઓ પાસેથી અનેક શસ્ત્રો તથા દારૂગોળો જપ્ત કર્યો હતો.

ત્રાસવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થયા બાદ ટોલ પ્લાઝા ખાતે એક ટ્રક પર ગોળીના નિશાન જોઈ શકાય છે.