મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી સાથે ક્રિકેટરોનું સન્માન

મુંબઈ: ગુરુવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈ પહોંચી હતી. ભીડને કાબૂમાં લેવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી હતી. જ્યાં વિજય પરેડ યોજાઈ હતી અને અંતે વાનખેડે સ્ટેડિયમ ખાતે ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિરાટ કોહલી અને રોહિત શર્મા ડાન્સ કરતા જોવા મળ્યા હતાં. રોહિત શર્માએ વાનખેડે સ્ટેડિયમમાં મોટું નિવેદન આપ્યું હતુ. રોહિત શર્માએ કહ્યું કે આ ટ્રોફી આખા દેશ માટે છે અને દરેક વર્લ્ડ કપ ટ્રોફી ભારત માટે ખાસ છે. રોહિત શર્માએ હાર્દિક પંડ્યા વિશે કહ્યું કે આ ટ્રોફી જીતવામાં તેની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હતી.

 

 

 

(તમામ તસવીર: દીપક ધુરી)