જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં વધી રહેલા તણાવ અને સંભવિત હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને આજે દેશભરમાં મોક ડ્રીલ યોજાઈ.આના માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને સૂચનાઓ જારી કરવામાં આવી હતી. જે બાદ આજે દેશની રાજધાની દિલ્હીથી મુંબઈ અને મધ્યપ્રદેશથી કર્ણાટક સુધી નાગરિક સુરક્ષા મોકડ્રીલ યોજાઈ.
મહારાષ્ટ્રના મુંબઈમાં ક્રોસ મેદાન ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ના પ્લેટફોર્મ 7 અને 8 પર આ મોક ડ્રીલ યોજાઈ હતી. મુંબઈ બંને જગ્યાએ આયોજિત મોકડ્રિલની તસીવીરો પર એક નજર કરીએ.
(તમામ તસવીરો: દીપક ધૂરી)
