![]()
છેવટે સતનો જ જય થાય છે |
સત્ય છેવટે જીતે છે. સત્યનો જ વિજય થાય છે અને એટલા માટે કહેવત છે કે સત્યમેવ જયતે. બનાવટ ગમે તેટલી રૂપકડી લાગતી હોય તો પણ લાંબુ ટકતી નથી. એટલે જ કહ્યું છે કે –
સચ્ચાઈ છીપ નહીં સકતી
બનાવટકે ઉસૂલોં સે
ખુશ્બુ આ નહીં સકતી
કભી કાગઝકે ફૂલોં સે
સત્યને દબાવી શકાય છે થોડી વાર માટે, પરાજિત ક્યારેય કરી શકાતું નથી અને એટલે જ કહેવાય છે સત્યમેવ જયતે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
