દેખાદેખી સાધે જોગ, પડે પંડને લાધે રોગ

દેખાદેખી સાધે જોગ, પડે પંડને લાધે રોગ

 

કોઇની પણ નકલ કરવી નહીં અને તેમાં પણ આર્થિક, શારીરિક કે અન્ય રીતે આપણા કરતાં ખૂબ સબળ હોય તેવી વ્યક્તિની નકલ કરવા જતાં ખૂબ ખેંચાઇ જવાય અને આવી આંધળી નકલ કરનાર દયાજનક પરિસ્થિતીમાં મૂકાય. આમ તો યોગ આસન શરીર સૌષ્ઠવ વધારે છે પણ એ આસન કરવા માટેની ક્ષમતા કેળવવી પડે. એકાએક કોઈ કરે છે એનું જોઈને તમે યોગ સાધના કરવા જાવ તો શરીરને ઇજા થાય અને શરીર શક્તિ વધવાને બદલે માંદા પડાય એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

આવી જ લગભગ સમાનર્થી કહેવત છે ‘લાંબા વાંહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.’ અને ‘કોઈનો મહેલ જોઈને આપણું ઝુંપડું પાડી ના નખાય”

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)