ચોરની મા ઘડામાં મોઢું ઘાલીને રડે
|
ચોરનાં કર્મો બાબત એની માને દુ:ખ થાય પણ એ દુખ એને છુપાઈને જ વેઠવું પડે. ગુનેગાર માણસ પોતાને થયેલું નુકશાન જાહેરમાં કહી શકતો નથી.
આમ કોઈ પણ દુષ્કર્મ કરનાર અથવા ગુનેગાર સાથે સંકળાયેલ વ્યક્તિ લોકલજ્જાએ પોતાનું દુ:ખ જાહેરમાં રડી શકતી નથી.
ખોટું કરનાર વ્યક્તિ પોતાનો દીકરો હોય તો પણ એના પ્રત્યેનો લગાવ જાહેરમાં વ્યક્ત કરી શકાતો નથી અને મન મારીને બધું વેઠી લેવું પડે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
