શું છે અવચેતન મનનું કાર્ય?

આપણું અવચેતન મન (સબકોન્શિયસ માઈન્ડ) એક શક્તિશાળી યંત્ર છે. આપણા સ્વાસ્થ્યની દેખરેખ, શ્વાસોચ્છવાસ અને શરીરના અન્ય કાર્યને નિયંત્રિત કરવા ઉપરાંત આપણા અગણિત મનુષ્ય જન્મો, જે આપણે લીધા છે, તે દરેક જન્મની નોંધપાત્ર સકારાત્મક કે નકારાત્મક ઘટનાઓની નોંધણી કરે છે અને તેને સ્ટોર કરે છે એટલે કે દરેક મહત્ત્વની માહિતીનો અવચેતન મનમાં સંગ્રહ થાય છે. ખાસ કરીને વણઉકેલાયેલી બાબતો, આઘાતજનક ઘટનાઓ કે કર્મો અવચેતન મનમાં વધુ ઊંડે સંગ્રહિત થાય છે અને પરિણામ રૂપે શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે આપણા વર્તમાન જીવનમાં તેમની અસર જોવા મળે છે. અવચેતન મનનું કામ છે કે તે આપણા બોલાયેલા દરેક શબ્દો, ઈચ્છાઓ, લાગણીઓને પૂરી કરવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે અને તે પ્રમાણેના સંજોગો ઉભા કરે છે, જેનાથી આપણે પ્રગટ કરેલી આપણી ઈચ્છાઓ પૂરી થઈ શકે.

અવચેતન મનમાંથી મેળવાતો તાગ

વર્તમાન જીવનમાં આપણને રિલેશનશિપ એટલે કે સંબંધોમાં તિરાડ, શારીરિક અને માનસિક રોગો, કુટુંબમાં સતત દુઃખદાયક ઘટનાઓ, પ્રગતિ અટકવી, ગભરાટ, વ્યસનો, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસફળતા, આત્મહત્યાના વિચારો, ઈર્ષ્યા, અસુરક્ષિતતાની ભાવના, આત્મવિશ્વાસનો અભાવ વગેરે જોવા મળે છે, કારણ કે આપણે આ સબકોન્શિયસ મેમરી સતત એક્સેસ કરી રહ્યા છીએ અને આપણા તમામ નિર્ણયોનું સંચાલન આ અવચેતન મન ભૂતકાળના અનુભવોના આધારે કરે છે.  સભાન પણે (consciously) આપણને ખ્યાલ નથી આવતો કે આપણે જે કોઈ નિર્ણય લઈ રહ્યા છે એની પાછળ કોઈ ડર, અસલામતીની ભાવના છે કે કોઈપણ નિર્ણય સમજી વિચારીને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગર લઈ રહ્યા છે. પણ મોટાભાગના આપણાં નિર્ણય અવચેતન મનની પ્રેરણાથી જ લેવાય છે. એટલે જ તે ખૂબ જ અગત્યનું છે કે આપણે જન્મથી લઈ આવેલા આપણા ન જોઈતા અનુભવોને એની યાદોને ભૂલીને અવચેતન મનને રી-પ્રોગ્રામ કરી શકીએ.

હજારો થેરેપિસ્ટ કાર્યરત

પાછલા જન્મોની યાત્રાનો અનુભવ પ્રાચીન સમયમાં ઘણા મહાન ઋષિઓ દ્વારા કરવામાં આવતો હતો જેમાં ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધનો પણ સમાવેશ થાય છે. ફરીથી આધુનિક સમયમાં જાગૃતિ વધવાને લીધે વિશ્વભરમાં હજારો ‘પાસ્ટ લાઈફ થેરેપિસ્ટ’ એટલે કે ફેસીલીએટર્સ સઘન અભ્યાસ સાથે નોંધપાત્ર પરિણામ બહાર લાવવામાં સફળ થયા છે. શારીરિક, ભાવનાત્મક, માનસિક અને આધ્યાત્મિક સ્તર પર ઊંડા અને સ્થાયી ફેરફારો લાવવા માટે વૈકલ્પિક ઉપચાર એટલે કે અલ્ટરનેટ મેડિસિન તરીકે પાસ્ટ લાઈફ રિગ્રેશન (Past Life Regression) થેરેપીનો ઉપયોગ થાય છે.

Sacred Soul Science Healing Services હેઠળ અમે Past Life Regression Therapists તરીકે આ પદ્ધતિ વિશે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યાં છીએ. આ પદ્ધતિ દ્વારા તમારા કોન્શિયસ માઈન્ડ (conscious mind) એટલે કે જાગૃત મનને શાંત કરીને તમારા અવચેતન મનમાં જન્મોથી સંઘરી રહેલી વણઉકેલાયેલી યાદોને એક્સેસ કરવામાં આવે છે. જે પણ સમસ્યાથી તમે હાલમાં પીડા ભોગવી રહ્યા છો અથવા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તે વાતચીતના સત્ર દરમિયાન આઘાતજનક ક્ષણો બહાર આવે છે. જે જન્મથી દબાયેલી પડીને તમને શારીરિક, માનસિક, ફાઇનાન્સિયલ એવી અલગ અલગ પીડા અને સમસ્યા કે સિચ્યુએશન તમારી લાઇફમાં આવી રહી છે તેના મૂળ કારણો જાણવા મળે છે અને તેમાંથી બહાર નીકળવા માટેના રસ્તા અને માર્ગદર્શન આપણને મળે છે.

પાસ્ટ લાઈફ રિગ્રેશનના લાભ કયા?

૧)  આપણાથી થયેલી કોઈપણ ભૂલ જે જાણે-અજાણે થઈ હોય અને તેને લીધે વર્તમાન સમયમાં યાતનામય જીવન ગુજારી રહ્યા હો તો પાસ્ટ લાઈફ રિગ્રેશન સત્ર દરમિયાન એના કારણો સમજ્યા પછી એને થેરેપિસ્ટ રિલીઝ કરાવીને કાયમ માટે તેમાંથી બહાર નીકળવા તમને મદદ કરે છે.

૨) જન્મતા પહેલા માનાં ગર્ભમાં કોઈ આઘાતજનક ઘટના કે જન્મ વખતે કોઈ દુઃખદાયક પીડાનો સામનો બાળકે કરવો પડ્યો હોય અને તેને લીધે વર્તમાન સમયમાં આત્મવિશ્વાસની કમી કે રિજેક્શનના અહેસાસ એવી ઘણી આડઅસરનો સામનો બાળકો મોટા થયા પછી કરી રહ્યા હોય કે પછી કોઈ અકસ્માતને લીધે કોઈ પ્રકારનો ડર કે ફોબિયા જ હોય તો અવચેતન મનમાં તે યાદોને રિલીઝ કરીને સારા જીવન જીવવા માટેની નવી તક મળે છે.

૩) જીવનસાથી, બાળકો કે કુટુંબમાં કોઈપણ સભ્ય વચ્ચેના સંબંધોની ગુંચવણને ઉકેલવા માટે આ પદ્ધતિથી ઘણા ફાયદા જોવા મળ્યા છે. પાસ્ટ લાઈફ રિગ્રેશન સત્રમાં મૂળ સુધી જઈને આપણને બીજા પર પહેલાના જન્મમાં કરેલા અન્યાય, ઈર્ષ્યા અને અસલામતીની ભાવનાથી કરેલા ખરાબ કર્મો વિશે ખ્યાલ આવે છે અને વર્તમાન સમયમાં આપણે જે પણ ભોગવી રહ્યા છે એના શું કારણ છે એ જાણીને એમાંથી બહાર નીકળવાના રસ્તા મળે છે.

૪) શારીરિક અને માનસિક કે ન સમજાય એવી પીડા કયા જન્મોની કે કયા કર્મોથી કે કોઈ શપથ લેવાથી કે કોઈ શબ્દોથી આપણા અવચેતન મનમાં સંગ્રહ થઈ છે અને તેને લીધે વર્તમાન જીવનમાં અસલામતી, ચિંતા, ગુસ્સો, શરમ, હતાશા કે વિવિધ પ્રકારની અપરાધની ભાવના જે ઉત્પન્ન થઈ રહી છે એને સમજવાની કડી મળે છે અને એમાંથી મુક્તિ પામવાની શક્યતા છે.

૫) ઘણી બીમારીઓ પહેલાં મન ઉપર અસર કરે છે અને પછી શરીરમાં પ્રગટ થાય છે. શરીર અને મનનું જોડાણ સમજવામાં આ પદ્ધતિ ખૂબ જ મદદ કરે છે એટલે જોખમી રોગો સાજા થવાના ઉદાહરણ આ પદ્ધતિથી હીલ થતા જોવામાં આવ્યા છે.

૬) અનેક કુટુંબોમાં સતત ગરીબી, બીમારી, દુર્ઘટના, આત્મહત્યા, છુટાછેડાના કેસો એક જ પેઢીમાં રીપીટ થતા જોવા મળે છે. તેના મૂળ સુધી જઈને એમાંથી મુક્ત થવામાં આ પદ્ધતિથી ઘણી મદદ મળી છે.

૭) જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવે છે તે શું શીખવવા માટે આવી છે અને કયો રસ્તો અપનાવાથી મારા વર્તમાન જીવનમાં સુધારો આવશે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો આ પધ્ધતિ અવસર આપે છે.

(ધારા ગણાત્રા-દુતિયા અને મેહુલ દુતિયા)

(લેખકો ‘પાસ્ટ લાઈફ રિગ્રેશન’ના સર્ટિફાઈડ થેરેપિસ્ટ છે)