મોસ્કો: ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રશિયાની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળમાં સ્ટીલ્થ યુદ્ધ જહાજને સામેલ કરવાનો છે. સાથે જ ભારત અને રશિયા વચ્ચે 21મી આંતર-સરકારી સૈન્ય અને તકનીકી સહયોગ બેઠકમાં ભાગ લેવાનો છે. રવિવારે મોડી રાત્રે મોસ્કો પહોંચતા, ભારતીય રાજદૂત વિનય કુમાર અને રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાન એલેક્ઝાન્ડર ફોમિને તેમનું સ્વાગત કર્યું હતું.રાજનાથ સિંહે મોસ્કોમાં ‘ટોમ્બ ઓફ ધ અનોન સોલ્જર’ની મુલાકાત લીધી અને બીજા વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા સોવિયત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. આ શ્રદ્ધાંજલિ ભારત અને રશિયા વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને દર્શાવે છે. આ સાથે રાજનાથ સિંહે ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી અને તેમના અનુભવો અને યોગદાનની પ્રશંસા કરી.
આ મુલાકાત દરમિયાન, સંરક્ષણ પ્રધાન ભારતીય નૌકાદળના નવીનતમ મલ્ટી-રોલ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ ‘INS તુશીલ’ના કમિશનિંગ સમારોહમાં પણ ભાગ લેશે. આ જહાજ ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરશે. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે અને તેમની સાથે સૈન્ય-તકનીકી સહયોગ અંગે ચર્ચા કરશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ 21મી આંતર-સરકારી સૈન્ય તકનીકી સહયોગ બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ બેઠક બંને દેશો વચ્ચે વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો પ્રયાસ છે. ભારત અને રશિયા વચ્ચેના સૈન્ય સંબંધો દાયકાઓથી ઘણા સારા છે અને આ મુલાકાત તેમને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સોશિયલ મીડિયા પર તેમની મુલાકાત વિશે માહિતી શેર કરતી વખતે રાજનાથ સિંહે કહ્યું કે તેઓ આ મુલાકાતથી ઉત્સાહિત છે અને તે ભારત-રશિયા સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાજનાથ સિંહ મોસ્કો પહોંચ્યા, રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે મુલાકાત
RELATED ARTICLES