યુપી ઇન્વેસ્ટર્સ સમિટઃ જિઓ ગંગાસફાઇ યોજનામાં પ્રદાન કરશે

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશ ઇન્વેસ્ટર સમિટ 2018માં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ ઉત્તરપ્રદેશને સર્વોત્તમ પ્રદેશ બનાવવા સંપૂર્ણ સહયોગ આપવાની જાહેરાત કરી હતી. મૂકેશ અંબાણીએ ઉત્તરપ્રદેશના વિકાસ માટે પોતાની ચાર યોજનાઓ જાહેર કરી હતી.

રીલાયન્સ જિઓ ઉત્તરપ્રદેશમાં હજુ વધુ રૂ.10,000 કરોડનું રોકાણ આગામી ત્રણ વર્ષમાં કરશે. રીલાયન્સ જિઓએ ઉત્તરપ્રદેશમાં હાલ લગભગ 40,000 કરતાં વધારે પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસરનું સર્જન કર્યું છે. રીલાયન્સના અન્ય વ્યવસાયો જેમ કે રીટેલ, પોલિયેસ્ટર અને પેટ્રોલિયમની સાથે મળીને જિઓ આગામી વર્ષોમાં એક લાખ કરતાં વધારે સાતત્યપૂર્ણ રોજગારીનું સર્જન કરશે.

ત્રીજી યોજના વિશે કહ્યું કે ઉત્તરપ્રદેશના યુવાનોને સ્માર્ટ યુવાનો બનાવવા માટે બે મહિનામાં બે કરોડથી વધુ જિઓફોન પ્રાથમિકતાના ધોરણે ઉત્તરપ્રદેશમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે. દેશનાં અન્ય ઘણાં રાજ્યોમાં જિઓફોન માટે લોકોની લાંબી પ્રતીક્ષાયાદી છે તેમાંથી ઉત્તર પ્રદેશ માટે આ વિશેષ વ્યવસ્થા કરાશે.

મૂકેશ અંબાણીએ  આ ઉપરાંત ‘નમામિ ગંગે’ મિશન અંગેનું એક વધુ વચન આપતાં જણાવ્યું કે રીલાયન્સ ફાઉન્ડેશન પોતાની પવિત્ર ફરજ તરીકે ગંગા સફાઇ અભિયાન સાથે જોડાઇને તેની સફળતામાં સહયોગી બનશે. ઉત્તરપ્રદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એક ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર જિઓ દ્વારા સ્થાપવા અંગેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.