તો શું લક્ષ્મી માટે સરકાર બિટકોઇનને ખતમ કરશે?

નવી દિલ્હી– વિશ્વના દેશોની સરકાર અને કેન્દ્રીય બેંકો માટે બિટકોઇન પર મિશ્ર પ્રતિક્રિયા આપતાં રહ્યાં છે. જોકે ભારત સરકારે બિટકોઇન મુદ્દે નિર્ણયાત્મક વલણ લેતાં કાયોદ બનાવી બિટકોઇન અમાન્ય ઠરાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા આ કરન્સીને પ્રતિબંધિત કરવાની માગણી ઉઠી છે. કારણ કે માનવામાં આવે છે કે આવી ક્રિપ્ટો કરન્સીથી ટેક્સ ચોરી અને હવાલા કારોબારને ઉત્તેજન મળે છે. આંતરિક વર્તુળોના જણાવ્યાં પ્રમાણે મોદી સરકાર ટૂંકસમયમાં ક્રિપ્ટોકરન્સી પ્રતિબંધ માટે કાયદો લાવી રહી છે. આ માટે ઇકોનોમિક એફેર્સ ડીપાર્ટમેન્ટના અધ્યક્ષની ટીમની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે.

નાણાંપ્રધાન અરુણ જેટલીએ બજેટ ભાષણમાં જ જણાવી દીધું હતું કે સરકાર ક્રિપ્ટો કરન્સીને લીગલ ટેન્ડર નથી આપવાની. પરંતુ તેમણે એમ કહ્યું હતું કે સરકાર બ્લોકચેન અપવાવશે. ક્રિપ્ટોકરન્સી આ ટેકનિક પર આધારિત છે.  આરબીઆઈ પેહેલથી જ આ નવી કરન્સીના પાસાંઓ પર વિચારણા કરી રહી છે. બિટકોઇનની સફળતાને લઇને આરબીઆઈ આમ વિચારી રહી છે. આરબીઆઈના નિષ્ણાતોની એક ટીમ આધિકારિક ક્રિપ્ટોકરન્સીની સંભાવનાઓનું પરીક્ષણ કરી રહી છે. જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે ભારતીય ચલણનો વિકલ્પ બની શકે. ગત વર્ષે જ એ સમાચાર બહાર આવી ચૂક્યાં હતાં કે સરકાર પોતાની ક્રિપ્ટોકરન્સી લક્ષ્મી લોન્ચ કરી શકે છે. આરબીઆઈની ક્રિપ્ટોકરન્સી તેના પોતાના બ્લોકચેનનો ભાગ હોઇ શકે છે. છેતરપિંડી અને ફસાયેલાં દેવાંથી બચવાના હેતુથી બ્લોકચેન ટેકનિકની સૂચનાઓને વહેંચવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લેન્ડર્સ અને ટેક કંપનીઓને સાથે એકસાથે લાવવાની પહેલ પણ કરી દીધી છે.