બનાસ ડેરીના ચેરમેન બન્યા શંકર ચૌધરી

Gujarat: બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. શંકર ચૌધરી બનાશ ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. જયારે ભાવાભાઈ રબારીની નિમણૂંક વાઇસ ચેરમેન પદ પર કરવામાં આવી છે.  નિયામક મંડળીની બેઠકમાં આ નામની જાહેરાત કરવામાં આવી હતી. બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બનાસડેરીમાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ચેરમેન પદ પર રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસચેરમેન પર ભાવાભાઈ રબારીને રિપીટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે બંને અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ચૂંટાયા છે. આમ, શંકર ચૌધરી અને ભાવભાઈ રબારી પોતાના હોદ્દાઓ પર યથાવત રહેશે.

ઉલ્લેખનીય છે કે બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૉધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 16 ડિરેક્ટર ની હાજરીમાં અને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

નોંધનીય છે કે બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબા ભાઈ નાનજી ભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા. ત્યાર પછી પરથી ભાઈ ભટોળ ચેરમેન બન્યા જે  22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. જ્યારે છેલ્લા 7 વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન પદ પર છે. ડેરીમાં ચેરમેન ઉપરાંત 16 ડિરેકટરો છે.