મોકો કહાં ઢુંઢે રે બંદે , મૈં તો તેરે પાસમે..

ઐતિહાસિક અમદાવાદના બારેય દરવાજાની અંદર અસંખ્ય મંદિરો અને ધર્મસ્થાનો આવેલા છે. એમાંથી અમુક મંદિરો એવા પણ છે, જેના વિશે લોકો આજે પણ બહુ જાણતા નથી.

આવું જ એક સ્થાન એટલે શહેરના માણેકચોકથી સાંકડી શેરી તરફ જતા સદમાતાની પોળ નજીક આવેલું સંત કબીર સાહેબનું મંદિર. ખાડિયા ચાર રસ્તા વિસ્તારની જેઠાભાઇની પોળની સામે શ્રી કબીર આશ્રમ પણ આવેલો છે, જે એક હેરિટેજ ઇમારત છે.

જેઠ સુદ પૂનમ બુધવારના રોજ કબીર સાહેબના વિચારોને માનવા વાળા લોકો એમનો 627મા પ્રાગટ્ય મહા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે.

સંત કબીર એક મહાન સંત કવિ હતા. એમના સાહિત્યનો પ્રભાવ હિન્દુ , મુસ્લિમ ધર્મ તથા સૂફી પંથમાં જોવા મળે છે. ધર્મનગરી કાશીના લહતવાર પાસે સંત કબીરનો જન્મ થયો. એમના જન્મ અને ઉછેર વિશે અનેક લોક વાયકાઓ છે, પરંતુ એમણે દરેક ધર્મમાં ચાલતી રૂઢિ ચુસ્ત બાબતો, કટ્ટર પંથનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)