પ્રવાસીઓ હવે કરી શકશે ગોવામાં પણ આધ્યમિક્તાનો અહેસાસ

ગોવા ફરવા જવાનું મતલબ મસ્ત મજાના બીચ પર એન્જોય કરવાનું અને કસીનોમાં મનભરીને જુગાર રમવાનો. જો કે ધીમે-ધીમે આ કન્સેપ્ટમાં ચેન્જ આવી રહ્યો છે જેનું કારણ છે ગોવામાં આવેલા મંદિર. ગોવા અને આધ્યાત્મિકતાનો વળી શું નાતો ? એ જાણવું હોય તો ગોવામાં આવેલા સૈકા પહેલાના મંદિરોની મુલાકાત કરવા જેવી છે.

ગોવામાં આવેલા મંદિરની વાત કરીએ તો એમા શ્રી શાંતાદુર્ગા કુકલકારિણ ફટોર્પા, સપ્તકોટેશ્વર નરવે બિચોલીમ, બ્રહ્મકર્મલી સતારી, મહાગણપતિ ખંડોલા, મંગેશ મંદિર મંગેશી, મહાલસા મંદિર મરડોલ, મહાદેવ મંદિર તાંબડીસુરલા, દામોદર દેવસ્થાન જાંબુલી, પરશુરામ મંદિર પેગીન, હરિ મંદિર માર્ગો, શ્રી દત્ત મંદિર સાંખલી જેવા 11 મંદિરનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે સમગ્ર ભારતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર પુષ્કરમાં આવ્યું છે. ત્યારે કહેવાય છે ગોવામાં આવેલા બ્રહ્મકર્મ વાલી મંદિરમાં પણ બ્રહ્માજીના દર્શન થાય છે. હવે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં પણ ગોવાની ટુર માટે ખાસ આધ્યામિક ટુરનું પણ આયોજન કરવામાં આવે છે. ગોવાના પ્રવાસન વિભાગની એકાદશા તીર્થના ભાગરૂપે આ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યટકો પણ હવે ગોવા માત્ર બીચ કે કેસિનો છોડીને આધ્યાત્મિકતામાં પણ ડોકીયુ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગોવા પ્રવાસન વિકાસ નિગમ (જીટીડીસી) જીએમ(જનરલ મેનેજર લક્ષ્મીકાંત વૈંગણકર કહે છેઃ એકાદસ તીર્થના ભાગરૂપે 11 મંદિર સીલેકટ કરવામાં આવ્યા છે. ગોવાએ પરશુરામની ભૂમિ છે તો અહીં પેગીનમાં પરશુરામનું મંદિર પણ છે. શિવાજી મહારાજે જેની નીવ મુકી છે એ સપ્ત કોટેશ્વર મંદિર પણ છે. તાંબડીસુરલામાં જે મહાદેવ મંદિર છે એ 12મી સદીનું છે. અમે અહીં હોમસ્ટેનો કન્સેપ્ટ પણ લાવ્યા છીએ. જેથી પર્યટકોને અહીં રહેવાની પણ વ્યવસ્થા મળી રહે.

ગોવા પ્રવાસન વિકાસ નિગમ ગોવા પર્યટનને આદર્શ આધ્યાત્મિક સ્થળ બનાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. હવે ગોવા જતા પ્રવાસીઓ પણ આ સ્પિરિટ્યુઅલ અનુભવ અદ્ભભૂત રહેશે.