સમાવિષ્ટની શક્તિ

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

હું જે અનુભવુ છું, અથવા કોઈ પ્રકારની પરિસ્થિતિ કે અમુક પ્રકારના લોકોને મળુ છું ત્યારે, હું એ ક્ષણે માત્ર બેસું છું, અને ફક્ત તેમને જ જોઉં છું અને મારે તેમના વિશે વિચારવાની પણ જરૂર નથી. હું તે લોકોને મારો જ ભાગ ગણું છું. જે રીતે હું પોતાની સાથે વાત કરું છું તે રીતે તેમની સાથે વાત કરું છું. જ્યારે પણ તમે પોતાની સાથે વાત કરો છો, ત્યારે તમે ખુલ્લા મને વાત કરો છો. તેમાં કોઈ મુશ્કેલી કે અડચણ આવતી નથી; અને આ કોઈ મોટી વાત નથી. તમે માત્ર એ કરો છો જે કરવાની જરૂર છે. 

એકવાર જો સમાવિષ્ટ કરવાની સંભાવના ઉત્પન થશે, તો જાગરૂકતા અને ચેતના કુદરતી રીતે આવી જશે. જાગરૂકતા જીવન છે અને જીવન જાગરૂકતા છે. આ સીવાય અન્ય કોઈ માર્ગ નથી. આ ઉપેક્ષાના કારણે જ જાગરૂકતાનો અભ્યાસ જરૂરી છે. સમાવિષ્ટ કરવાની ભાવનાથી લોકો પોતાની જાતને બાકાત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તેઓએ પોતાની જાતને સંકુચિત રાખવા માંગે છે. 

આમાંથી બહાર  નિકળવા, ચેતનાની જરૂર છે અને ચેતના એ વ્યક્તિગત નથી. ચેતના હંમેશા સર્વનો સ્વીકાર કે સમાવિષ્ટ કરવા સમાન છે. જો તમે સભાન છો, તો બધું સમાવિષ્ટ કરી શકો છો. તમારે આત્મવિશ્વાસ કે આત્મસંદેહની જરૂર નથી. તમે કોઈપણ ખચકાટ વગર તમારી બૌદ્ધિક ક્ષમતા અને સંપૂર્ણતાથી કોઈ પણ કાર્ય કરી શકો છો. 

ભગવત ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે, સંકોચ મહાપાપ છે. ખૂબ અજૂગતુ લાગે છે, નહીં? હત્યા એ મહાપાપ નથી. લુંટ પણ મોટું પાપ નથી. દુષ્કર્મએ પણ પાપ નથી. સંકોચ મહાપાપ છે. કારણે કે સંકોચમાં તમે જીવી શકતા નથી. કૃષ્ણ એ જીવનના હકારાત્મ કથન સમાન છે. તેઓ કોઈ શિખામણ નથી આપતા. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં સંકોચથી મોટો કોઈ અર્ધમ નથી. આનો અર્થ એ નથી કે તમે આ પાપ સીવાય અન્ય પાપ કરવા માટે મુક્ત છો. તમારા વિચાર અને બુદ્ધિ સક્ષમ છે, કે તમારે શું કરવું અને શું ન કરવું જોઈએ. 

આજના સમયમાં લોકો વિશિષ્ટતાની ભાવના ગ્રહણ કરીને બેઠાં છે અને પીડાય છે. મજાની વાત એ છે કે મોટાભાગના લોકો આ પીડાથી અજાણ છે. કારણે કે તેઓ સભાનપણે આ માને છે કે આ જ રીતે, વિશિષ્ટ બની ને તમે દુનિયા નું ધ્યાન આકર્ષિત કરી શકો છો. ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિઓમાં, બાળપણથી જ આ ભાવના, બાળકોને વિશિષ્ટતાની ટ્રેનિંગ આપવામાં આવે છે. વિશેષ્ટતાની ભાવના એ અત્યંત ખરાબ રોગ છે, કારણ કે એક વખત લાગુ પડ્યા પછી તેમાંથી મુક્ત નથી મળતી. તમે જ્યાં પણ જાઓ છો, ત્યાં તમારી વિશિષ્ટ્તા સાબિત કરવા માટે કંઈક મૂર્ખતાપૂર્ણ કામ કરવું પડે છે. ઇશા યોગ આપને વિશેષ બનાવવા માટે નહીં પરંતુ અસાધારણ બનાવવા માટે છે.

જુના બ્રોશર્સમાં અમે કહેતા ‘ઇશા યોગ- સાધારણ થી અસાધારણ’. લોકો વિચારતા તે જો તેઓ કાર્યક્રમમાં ભાગ લેશે તો તેઓ વિશિષ્ટ બની જશે. તેઓના આગમન પછી, હું તેમને કહેતો કે ના, તમે બીજા કરતાં પણ સાધારણ બનશો, અસાધારણ!! ‘જ્યારે તમે વિશિષ્ટ બનવા માટે કોઈ ખાસ પ્રયત્ન નથી કરતા, જ્યારે તમે બસ સામાન્ય બનો છો ત્યારે તમે અસાધારણ રીતે ઝળકી ઊઠો છો. તમામ પ્રકારની સ્વીકારૂતિ એ અસાધારણ લક્ષણ છે. એ જીવવાનો માર્ગ છે. જ્યારે હું સમાવિષ્ટ કહું છું, એ મારી કોઈ ફિલસૂફી કે એવું કાંઈ નથી કે જેનું મેં સર્જન કર્યું હોય – આ એક સનાતન વસ્તુ છે. જો તમે તમારી જાતને વિશિષ્ટ માનો છો, તો શા માટે તમે અન્ય કોઈની જેમ શ્વાસ લો છો? અલગથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરીને જુઓ, તમે મારી જશો. આ સમાવિષ્ટતા ના કારણે જ જીવનની પ્રક્રિયા થઈ રહી છે. 

જ્યારે અમે સમાવિષ્ટતા વિશે વાત કરીએ છીએ, ત્યારે અમે તમને કોઈ નવી ફિલસૂફી શીખવી નથી રહ્યા. અમે સામાન્ય જીવન વિષે વાત કરી રહ્યા છીએ. તે સામાન્ય છે. પણ સાથે ભવ્ય પણ છે.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)