એક ભાઈએ કહ્યું કે હું ખેડૂત છું. અમારે ઘણી વાર સરકારી કચેરીઓમાં કાર્ય અર્થે જવુ પડે છે. અમે 200-400 રૂપિયા આપીને કામ કરાવવા માટે ટેવાઈ ગયા છીએ. એકવાર એક યુવાન કર્મચારી ભાઈને મળવાનું થયું. મારી ટેવ મુજબ તેમના ટેબલ ઉપર રૂપિયા મૂક્યા. તેઓએ જવાબ આપ્યો કે હું આ નહીં લઉં. મેં તેમને ધ્યાનથી જોયા અને પરિચય પૂછ્યો તો તેમણે જણાવ્યું કે હું બ્રહ્માકુમાર છું.
મને વિચાર આવ્યો કે જે બ્રહ્માના આ કુમાર છે તે બ્રહ્મા, કેટલા ઊંચા, પાવન તથા દિવ્ય હશે! તેમને મળવા માટે હું અહીં આવ્યો છું. અહીં મને અવિનાશી પિતા શિવ તથા પ્રજાપિતા બ્રહ્માનો પરિચય મળ્યો, જેમના ગુણોની સુગંધ આજે પણ નવી આવવા વાળી આત્માઓમાં શક્તિ ભરી રહી છે. આજે જ્યારે સરકાર પણ યુવાઓમાં વધતી વિનાશકારી પ્રવૃત્તિ તથા કુચરિત્રથી પરેશાન છે, આ બ્રહ્મા સંતાનોમાં સ્વૈચ્છિક સચ્ચાઈ, ઈમાનદારી, કોઈપણ પ્રલોભન સમક્ષ ન ઝૂકવાની દ્રઢતા એ પિતાશ્રી દ્વારા શરૂ કરાયેલ આધ્યાત્મિક ક્રાંતિનું જ સારું પરિણામ છે.
લેખની મર્યાદાને ધ્યાનમાં રાખતા ઉપર અમે માતાઓ, બહેનો, યુવાઓના જીવનમાં આવેલ પરિવર્તનનું થોડું વર્ણન કરેલ છે. આ આધ્યાત્મિક કાંતિ દ્વારા પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માજીએ પવિત્ર ગૃહસ્થની સ્થાપના કરવાનું, કલ્યાણકારી સામાજીક પરિવર્તન લાવવામાં મૂલ્યોની ધારણા કરાવવાનું, ઝુંપડી થી શરૂ કરીને મહેલ સુધી આધ્યાત્મિક લહેર ફેલાવવાનું જે મહાન કાર્ય કરેલ છે તે સૂર્યના કિરણો સમાન બધાની સામે સ્પષ્ટ થઈ રહ્યું છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આ ક્રાંતિનો આધાર લઈને જ આ સંસાર મુશ્કેલ પરિસ્થિતિઓથી પાર ઉતરી શકે છે તથા તેના દ્વારા માનવ જાતિની એટલી સેવા થઈ જાય છે કે ભવિષ્ય બે યુગો સુધી બીજી કોઈપણ સેવાની જરૂરિયાત રહેતી નથી.
મનુષ્યનો સ્વભાવ એવો છે કે તે સત્ય પરંતુ વિચિત્ર વાતોને સાંભળવી વધુ પસંદ કરે છે. ‘સત્ય પરંતુ વિચિત્ર’ એ ટાઈટલથી આજે ઘણી વાતો મીડિયા દ્વારા મનુષ્ય સુધી પહોંચી રહી છે. પરંતુ તે એ સ્તરની નથી હોતી કે જેને જાણવાથી મનુષ્યનું જીવન સત્ય બની જાય, તેમનું જીવન આધ્યાત્મિક બની જાય. મને આ સંસ્થામાં આવવાથી જીવન જીવવાની નવી દિશા મળી. મારા આચાર વિચારમાં ઘણું પરિવર્તન આવ્યું તથા અતિન્દ્રિય સુખની અનુભૂતિ થઈ છે. આ સત્ય તથા વિચિત્ર કહાની ની શરૂઆત એ રીતે થઈ? વર્ષ 1936માં વિશ્વમાં સામાજિક, ધાર્મિક મૂલ્યોના પતનના વાદળા ઘેરાવા લાગ્યા હતા.
આ દિવસોમાં અખંડ ભારતના સિંધ- હૈદરાબાદ શહેરમાં દાદા લેખરાજ નામના ઝવેરીની ભક્તિ ચરમ સીમા પર પહોંચી ગઈ હતી. તેમને અનેક પ્રકારના સાક્ષાત્કાર ભક્તિના ફળના સ્વરૂપમાં થવા લાગ્યા. જેમાં પરમપિતા પરમાત્મા શિવ, આત્માનું મૂળ સ્વરૂપ, ચક્ર, નવી દુનિયાની સ્થાપના તથા પુરાની દુનિયાના વિનાશના દ્રશ્યો જોયા. જેના પરિણામે તેમના જીવનમાં અદભુત દિવ્ય પરિવર્તન આવ્યું. રાજાઇ સંસ્કાર વાળા દાદા લેખરાજે પોતાની તમામ મિલકત, તન-મન-ધન જન- જનની આધ્યાત્મિક સેવામાં લગાવી દીધી.
તમામ ચીજો સામે હોવા છતાં પણ તેઓ સંપૂર્ણ અનાસકત રહ્યા. તેમને લૌકિક નામ મળ્યું પ્રજાપિતા બ્રહ્મા. ભારતના શાસ્ત્રોમાં તથા પુરાણોમાં વર્ણન કરાયેલ છે કે અસુર વધ માટે દધીચિ ઋષિ. મૃત્યુ પામેલ પૂર્વજોને ગંગાજળથી જીવતા કરવા વાળા ભાગીરથ, મોહને જીતવા વાળા મોહજીત રાજા, તમામ ચીજો હાજર હોવા છતાં જીવન- મુક્ત સ્થિતિને પ્રાપ્ત અનુભવ કરવાવાળા રાજા જનક. આ તમામ પાત્રો બ્રહ્માબાબામાં જીવંત થઈ ગયા.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
