નવી દિલ્હીઃ દેશભરમાં ત્રીજી મેએ યોજાયેલી નીટ યુજી પરીક્ષા 12 મેએ રદ કરવામાં આવી હતી. પેપર લીક થયાના સમાચાર વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. NTAના આ નિર્ણયથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે, જેઓ નીટ યુજી પરીક્ષામાં હાજર રહ્યા હતા. NTAએ જણાવ્યું છે કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડશે અને રિ-એક્ઝામની તારીખ આગામી 7-10 દિવસમાં જાહેર કરવામાં આવશે.
નીટ યુજી 2026 રદ કરવાની જાહેરાત સાથે જ NTAએ આ પેપર લીક કેસની તપાસ CBIને સોંપવાની જાહેરાત પણ કરી હતી. CBIએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મંગળવારે FIR નોંધ્યા બાદ CBIની ટીમ નાસિક અને જયપુર પહોંચી હતી, જ્યાંથી પેપર લીકના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
એ દરમિયાન નીટ યુજી પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિયેશન (FAIMA)એ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. એસોસિયેશને ફરી પરીક્ષા યોજવાની સાથે NTAને બદલવાની પણ માગ કરી છે. નીટ યુજી પરીક્ષા 2026ની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. NTAએ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારોને ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે. ઉમેદવારોને તેમની ફી પરત આપવામાં આવશે અને તેમનાં પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.

25થી 30 લાખ રૂપિયામાં વેચાયું હતું નીટ યુજીનું પેપર
નીટ યુજી પેપર લીક કેસની તપાસમાં સામે આવ્યું છે કે ગુરુગ્રામના એક ડોક્ટર પાસેથી જયપુરના જામવારામગઢના રહેવાસી માગીલાલ અને દિનેશે 25થી 30 લાખ રૂપિયામાં NEETનો પેપર ખરીદ્યું હતું. દિનેશે આ પેપર પોતાના પુત્રને આપ્યું હતું, જે સીકરમાં રહીને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
પરીક્ષા પહેલાં જ કલાકો અગાઉ ફરી રહ્યું હતું પેપર
તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષા પહેલાં જ ઘણા કલાકો અગાઉ પેપર સર્ક્યુલેશનમાં આવી ગયું હતું. બીજી મેની રાત્રે તેને PDF સ્વરૂપે શેર કરવામાં આવ્યું હતું અને ત્રીજી મેની પરીક્ષા બાદ જ્યારે પ્રશ્નોનું મિલાન કરવામાં આવ્યું, ત્યારે મોટી સંખ્યામાં પ્રશ્નો મેચ થતાં આખા મામલાનો ભાંડો ફૂટ્યો હતો.




મુખ્યમંત્રી માત્ર 2 કારના કાફલા સાથે અમરેલી પહોંચ્યા
બિનજરૂરી ઈંધણનો વપરાશ કરવાના બદલે અને ઝડપથી વહીવટી ખર્ચ ઘટાડવા માટે મુખ્યમંત્રીએ જાતે આ પહેલ કરીને વહીવટી તંત્ર અને નાગરિકો સમક્ષ શાસન અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાજ્યપાલ સામાન્ય મુસાફરની જેમ કરશે પ્રવાસ
જનતાનો વિશેષ આગ્રહ




સામગ્રીઃ રવો 2 કપ, ખાટું દહીં 1 કપ, સિમલા મરચું 1, કાંદો 1, અમેરિકન મકાઈના દાણા 1 કપ, આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન, લસણની કળી 8-10 ખમણેલી, ઈનો ફ્રુટ સોલ્ટ 2 ટી.સ્પૂન, હળદર પાઉડર ¼ ટી.સ્પૂન, લાલમરચાં પાઉડર ¼ ટી.સ્પૂન, ચીઝ સ્લાઈસ 4, ધોઈને સમારેલી કોથમીર અડધો કપ, લીલી તીખી ચટણી 1 કપ,


સુજલ મયાત્રાએ ઉમેર્યું કે, આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવામાં આવશે. નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ 17 મેથી 31 મે, 2026 દરમિયાન પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. સ્વ-ગણતરી બાદ પ્રાપ્ત થયેલ SE ID ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. સ્વ-ગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી, ગણતરીદાર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે. આ પ્રક્રિયાથી ડેટા સંગ્રહ ઝડપી બનશે અને ફિલ્ડ વર્કનું ભારણ ઘટશે.
સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs); 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે.
ડેટા સુરક્ષા અંગે ખાતરી આપતા સુજલ મયાત્રાએ જણાવ્યું કે, જનગણના અધિનિયમ, 1948 અને જનગણના નિયમો, 1990ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે. તેનો ઉપયોગ કાનૂની અથવા કરવેરાના હેતુઓ માટે કરી શકાશે નહીં. દરેક વ્યક્તિ સાચી અને સંપૂર્ણ માહિતી આપવા માટે કાયદેસર રીતે બંધાયેલ છે. માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ દંડની જોગવાઈ પણ છે. જનતાને કોઈપણ મૂંઝવણ હોય અથવા તો માહિતી જોઈતી હોય તો તે માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 પર કોલ કરી શકે છે. અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક પણ કરી શકે છે.