નવી દિલ્હીઃ ભારતે રેલવે આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમથી મધ્યમ અંતરની ‘અગ્નિ-પ્રાઈમ’ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે, એમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ ખાસ ડિઝાઇન કરાયેલા રેલ આધારિત મોબાઈલ લોન્ચર પરથી કરવામાં આવેલું પહેલું જ પરીક્ષણ છે. તેમણે કહ્યું હતું કે નવી પેઢીની ‘અગ્નિ-પ્રાઈમ’ મિસાઈલ 2000 કિલોમીટર સુધીના લક્ષ્યને ભેદી શકે છે. તે અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
રેલ આધારિત મોબાઈલ લોન્ચરનો શું છે લાભ?
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે માહિતી આપી હતી કે અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું લોન્ચ ખાસ ડિઝાઇન કરાયેલા રેલ આધારિત મોબાઈલ લોન્ચર પરથી કરવામાં આવ્યું છે. આ લોન્ચ માટે કોઈ બદલાવ કરવાની જરૂર નથી અને તે રેવેલ નેટવર્ક પર કોઈ પણ પૂર્વ શરત વિના ચાલવાની ક્ષમતા ધરાવે છે.
આનો લાભ એ છે કે આ લોન્ચ સિસ્ટમને ટ્રેન મારફતે સહેલાઈથી દેશના કોઈ પણ ખૂણામાં લઈ જઈ શકાય છે. તે ઓછી દૃશ્યતા સાથે ઓછા રિએક્શન ટાઈમમાં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સફળ પરીક્ષણે ભારતને તે થોડાક દેશોની યાદીમાં સામેલ કરી દીધું છે, જેઓ પાસે ચાલતા-ફરતા રેલ નેટવર્ક પરથી કેનિસ્ટરાઈઝ્ડ લોન્ચ સિસ્ટમ વિકસાવવાની ક્ષમતા છે.
કેમ ખાસ છે આ પરીક્ષણ?
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઈમ મિસાઈલના સફળ પરીક્ષણ બદલ DRDO, સામરિક દળ કમાન (SFC) અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યાં છે.
India has carried out the successful launch of Intermediate Range Agni-Prime Missile from a Rail based Mobile launcher system. This next generation missile is designed to cover a range up to 2000 km and is equipped with various advanced features.
The first-of-its-kind launch… pic.twitter.com/00GpGSNOeE
— Rajnath Singh (@rajnathsingh) September 25, 2025
શું છે અગ્નિ-પ્રાઈમ મિસાઈલની ખાસિયતો?
તેમણે માહિતી આપી છે કે અગ્નિ-પ્રાઈમ નવી પેઢીની મિસાઈલ છે, જે 2000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ મિસાઈલ અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અગ્નિ-પ્રાઈમ મિસાઈલને રક્ષા સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. નવી પેઢીની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-પ્રાઈમ ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે મિશનના તમામ હેતુઓ પૂર્ણ કરે છે.









સંસ્કારદીપ વિદ્યાલયમાં પહેલા નોરતે લગભગ એકાદ હજાર જનનીઓને તેમના બાળકે કંકુ, ચોખાથી પૂજન કરીને મોઢું મીઠુ કરાવ્યું હતું. માતા અને બાળક વહાલથી એકાબીજાને ભેટતા મમતાભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વર GPCBના RO ડૉ. જિજ્ઞાસાબેન ઓઝાએ આ દ્વશ્યો જોતા ભાવુક થયા હતા, તેઓની આંખ ભીની થઇ ગઈ હતી.
આ પ્રસંગે અંકલેશ્વર ડૉ. જિજ્ઞાસાબેન ઓઝાએ જણાવ્યું હતું, “દરેક માતાનું યોગદાન બાળક ઉછેરમાં રહ્યું છે. પહેલા એવી કહેવતો હતી કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી…!! આ વાક્યને હકારાત્મક રીતે લઈએ તો સ્ત્રીને ખબર પડે ખાડો હોય તો ખબર પડી જાય. જયારે પુરુષોને આગળ ખાડો હોય તો તેમને ખબર ન પડતા અંદર પડી જાય છે. આજે અભણ સ્ત્રી પણ માતા તરીકે પોતાના બાળકના ઉછેરમાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. માતા પાસે ભલે બે હાથ હોય એ જોઈ શકાય છે પણ તેઓને અદ્વશ્ય અનેક હાથ હોય છે, જે જોઈ શકાતા નથી. પણ અનુભવ કરી શકાય છે. એટલે જ કવિતામાં કહેવાયું છે કે “હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો?. મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું?, મા હેતવાળી દયાળી જ મા, તું !
આ પ્રસંગે હાજર માતાઓ અને બાળકોએ માતૃભાવના, સ્નેહના સંબંધો પર પ્રતિભાવો આપ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ એન. કે. નાવડીયા, મંત્રી હિતેનભાઈ આણંદપુરા, AIAના પ્રમુખ વિમલ જેઠવા, ચંદ્રેશ દેવાણી સહિત નવદુર્ગા યુવક મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા…
